Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચેતજો - દિવાળી પછી ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂનો સમય ફરી લંબાવે તેવી શક્યતા

ચેતજો - દિવાળી પછી ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂનો સમય ફરી લંબાવે તેવી શક્યતા
, રવિવાર, 14 નવેમ્બર 2021 (10:47 IST)
દિવાળીના તહેવારો બાદ રાજ્યભરમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. કેસોમાં ઉછાળો આવતા કેસો વધ્યા તે મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં પણ વધારો કરી શકાય છે.
 
કોરોનાના કેસમાં ઉછાળો આવતા હવે અમદાવાદ સહિતના મોટા શહેરોમાં ડોમ ઉભા કરી ફરી ટેસ્ટિંગ કરવામાં આવશે. સાથે જ RT-PCR ટેસ્ટમાં પણ વધારો કરવામાં આવી શકે છે. કોરોના વધુ વકરે નહીં તે માટે શહેરોમાં જાહેર સ્થળોએ સ્ક્રિનિંગ કરવા તથા બગીચા, બસ સ્ટેશન, એરપોર્ટ અને રેલવે સ્ટેશન સહિતના સ્થળોએ પણ સઘન ચેકિંગ કરવામાં આવશે.
 
શનિવારે શહેરમાં કોરોનાના 10 કેસ સામે આવ્યા. જેમાં દિવાળીમાં બહાર ફરીને આવેલા નાગરિકો પૈકી કેટલાક કોરોના પોઝિટિવ આવ્યા હતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાવળિયાનો ધમકીભર્યો અંદાજ:કહ્યુ - ‘ભાજપ ટિકિટ આપવામાં રમત રમશે તો હું જોઇ લઇશ