Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત કોરોના અપડેટ: આજે કોરોનાના કારણે એકપણ મોત નહી, નોંધાયા 62 નવા કેસ

ગુજરાત કોરોના અપડેટ: આજે કોરોનાના કારણે એકપણ મોત નહી, નોંધાયા 62 નવા કેસ
, ગુરુવાર, 8 જુલાઈ 2021 (20:19 IST)
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 70ની નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 62 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 534 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,12,522 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 98.60 ટકાએ પહોંચ્યો હતો. 
 
રાજ્યમાં કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં કુલ 1497 કોરોનાના કુલ એક્ટિવ કેસ છે. 9 લોકો વેન્ટિલેટર પર છે. 1488 લોકો સ્ટેબલ છે. 8,12,522 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. આજે રાજ્યમાં આજે એકપણ મોત નિપજ્યું નથી. 10,072 લોકોનાં કુલ મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે એકપણ મોત થયું નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નવા સ્વાસ્થ્ય મનસુખભાઈ માંડવિયાની જૂની ટ્વીટ પર લોકો કરી રહ્યા છે ટ્રોલ, લોકોને બેઠા બેઠા મળી ગયા મનોરંજન મંત્રી