Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં રોજના સરેરાશ 25 મોત, મૃત્યુદર 6.71 ટકા : 13 દિવસમાં જ 326 મોત

Webdunia
ગુરુવાર, 14 મે 2020 (15:42 IST)
અમદાવાદમાં 13મીએ કોરોનાથી વધુ 25 મોત નોંધાયા છે અને આ સાથે માત્ર અમદાવાદમાં મૃત્યુનો આંકડો 446 પર પહોંચી ગયો છે. અમદાવાદમાં રોજના સરેરાશ 25 મોત થઈ રહ્યા છે. શહેરમાં હાલ મૃત્યુદર 6.71 ટકા પર પહોંચ્યો છે. 1લી મેથી લઈને આજ સુધીમાં 13 દિવસમાં જ 326 મોત થઈ ચુક્યા છે. આજે ગુજરાતમાં વધુ 29 મોત થયા છે અને કોરોનાથી મૃત્યુ થવાની શરૂઆત બાદ ગુજરાતમાં ચોથી વાર એક સાથે એક જ દિવસમાં 29 મોત નોંધાયા છે. ગુજરાતમાં મૃત્યુદર વધીને 6.10 ટકા થયો છે. ગુજરાતમાં કોરોનાથી પ્રથમ મોત 22 માર્ચે થયા બાદ 40 દિવસમાં 214 મોત ગુજરાતમાં થયા હતા જ્યારે 1લીમેથી 13 મે સુધીના છેલ્લા 13 દિવસમાં જ રાજ્યમાં 352 મોતા થયા છે. જ્યારે ગુજરાતમાં સૌથી વધુ મોત અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં મોતની સંખ્યા ઘટવાને બદલે વધી રહી છે. લોકડાઉન છતાં પણ અમદાવાદમાં રોજના 250થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે છે તેમજ મૃત્યુની સંખ્યા પણ ઓછી થતી નથી. અમદાવાદમાં સરેરાશ રોજના 25 મોત થઈ રહ્યા છે. 2જી એપ્રિલથી અમદાવાદમાં રોજના 20 કે તેથી વધુ મોત થઈ રહ્યા છે. જ્યારે છેલ્લા 13 દિવસમાં જ અમદાવાદમાં 326 મોત થયા છે. મહત્વનું છે કે એક બાજુ જ્યાં સમગ્ર રાજ્યમાં 6.10 ટકા મૃત્યુ દર છે ત્યારે અમદાવાદમાં 6.71 ટકા મૃત્યુદર દર છે.  દેશમાં પાંચ હજારથી વધુ કેસ ધરાવતા મુખ્ય મોટા શહેરોમાં અમદાવાદમાં સૌથી વધુ 6.71 ટકા મૃત્યુદર છે.દેશમાં મોટા શહેરોમાં સૌથી વધુ કેસ 14947 કેસ મુંબઈમા છે ત્યારે તેની સામે મોત 556 છે. અમદાવાદમાં 6645 કેસ સામે કુલ મૃત્યુનો આંકડો 446 છે જે ખૂબ જ ગંભીર ગણી શકાય.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments