baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોના કેસ ઘટતાં હાશકારો, 24 કલકામાં નોંધાયા 3,250 કેસ, 44ના મોત

કોરોના કેસ ઘટતાં હાશકારો
ગાંધીનગર: , મંગળવાર, 25 મે 2021 (20:03 IST)
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3 હજારની નજીક કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
કોરોના કેસ ઘટતાં હાશકારો
 
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3,250 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 9,676 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 7,22,741 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 90.92 ટકાએ પહોંચ્યો હતો.
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 62,506 એક્ટિવ દર્દી છે, જે પૈકી 603 લોકો વેન્ટિલેટર પર છે અને 61,903 લોકો સ્ટેબલ છે. જો કે, રાજ્યમાં કુલ 7,22,741 લોકો ડિસ્ચાર્જ થયા છે. 9,665 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, જામનગર કોર્પોરેશનમાં 2, અને ભાવનગર કોર્પોરેશનમાં 1 દર્દીના મોત થયા છે.
 
આ ઉપરાંત સુરત 4, વડોદરા 2, આણંદ 1, બનાસકાંઠા 1, જુનાગઢ 1, રાજકોટ 3, મહેસાણા 3, ભાવનગર 1, જામનગર 1, સાબરકાંઠા 2, ભરૂચ 2, ગીર સોમનાથ 1, અમદાવાદ 1, પાટણ 1, ગાંધીનગર 1, દેવભૂમિ દ્વારકા 1 અને ડાંગમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 44 દર્દીઓના મોત થયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દર મહિને 8.5 કરોડ વેક્સીનનુ ઉત્પાદન, પછી સેંટર પર કેમ લાગી રહ્યા છે તાળા ? ક્યા ગાયબ થઈ રહી છે વેક્સીન ? કેન્દ્રએ આપ્યો જવાબ