Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાબરમતી એક્સપ્રેસ સળગાવવાના મામલામાં દોષિતને જામીન અપાયા

Webdunia
ગુરુવાર, 15 ડિસેમ્બર 2022 (15:00 IST)
ગોધરામાં સાબરમતી એક્સ્પ્રેસ ટ્રેન સળગાવવાના કેસમાં જન્મટીપની સજા ભોગવી રહેલા ફારૂકને સુપ્રીમ કોર્ટે આજે જામીન આપી દીધી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફારૂક 17 વર્ષ જેલમાં રહી ચૂક્યો છે અને ટ્રેન સળગાવવાના કેસમાં એની ભૂમિકા પથ્થરમારો કરનારની હતી.
 
ચીફ જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડની બેન્ચે ગુરુવારે આદેશમાં કહ્યું, "અમે ફારૂકને જામીન આપીશું કેમ કે એ પહેલાંથી જ 17 વર્ષ જેલમાં રહી ચૂક્યો છે." વર્ષ 2002માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચને સળગાવવાના કેસમાં ફારૂકને પથ્થરમારાના આરોપમાં જન્મટીપની સજા ફરમાવાઈ હતી.
 
ચીફ જસ્ટિસે જામીન આપવાનો નિર્ણય લેતાં કહ્યું, "17 વર્ષ વીતી ગયાં છે. દોષી ગણવાના નિર્ણય વિરુદ્ધની એની અરજી વડી અદાલતમાં પેન્ડિંગ છે." સુપ્રીમ કોર્ટે આ જ મામલે 13 મે, 2002ના રોજ અન્ય એક આરોપી અબ્દુલ રહેમાન ધનતિયા ઉર્ફે કાનકટ્ટુને છ મહિનાના જામીન આપ્યા હતા.
 
અબ્દુલનાં પત્નીને કૅન્સર હતું અને એમની પુત્રીઓ માનસિક રીતે બીમાર હતી.
 
11 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે અબ્દુલની જામીન 31 માર્ચ, 2023 સુધી વધારી દીધી હતી. 27 ફેબ્રુઆરી, 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચમાં આગ લાગી હતી, જેમાં 59 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ બાદ ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં.
 
સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ આ મામલે ગુજરાત સરકારનો પક્ષ રાખતા ફારૂકના જામીનનો વિરોધ કર્યો હતો. એમનું કહેવું હતું કે આ મામલે ફારૂક અને બીજા આરોપીઓએ ટ્રેન પર પથ્થર ફેંક્યા હતા. જેમાં સળગતી ટ્રેનમાંથી બહાર નીકળવામાં લોકો સામે અવરોધ ઊભો થયો હતો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસના દર્દીઓ માટે દવા જેવું કામ કરે છે આ કાળું ફળ, બીજથી લઈને પાંદડા પણ છે ઉપયોગી

વેજ પુલાવ રેસીપી

મેષ રાશિ છોકરી નામ/ અ લ ઈ પરથી નામ girl

Mother’s Day 2025: તમારી માતાને ખુશ કરવા માટે આ ભેટો આપો, તેમનો દિવસ ખાસ બનશે

લોભના ફળ

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments