Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેડક્લાર્કની ભરતીના પેપરલીક મામલે આજે બપોરે અમદાવાદમાં કોંગ્રેસ બાઈક રેલી યોજશે, NSUIના કાર્યકર્તાઓ જોડાશે

Webdunia
બુધવાર, 22 ડિસેમ્બર 2021 (13:20 IST)
ગઈ કાલે કોંગ્રેસના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યુ હતું
રાજયમાં બિનસચિવાલયની હેડક્લાર્કની ભરતીની પરીક્ષાના પેપરલીક મામલે ભાજપના વિરોધમાં આજે બપોરે 2 વાગ્યે ગુજરાત કોંગ્રેસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પાલડી ડો. રાજીવ ગાંધી ભવનથી કલેક્ટર કચેરી સુધીની બાઇક રેલી યોજવામાં આવશે. આજે યોજાનારી રેલીમાં કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાશે. જો કે પોલીસ દ્વારા રેલીને પરમિશન આપવામાં આવી નથી. જેના કારણે પોલીસ દ્વારા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની કાર્યાલય બહારથી જ ધરપકડ કરી લેવામાં આવી શકે છે. કોંગ્રેસ કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. NSUIના કાર્યકર્તાઓ પણ રેલીમાં જોડાશે. ગુજરાત યુનિવર્સિટીથી બાઇક લઈ તેઓ પાલડી આવશે અને ત્યાંથી તેઓ કલેક્ટર ઓફિસ જશે.
 
કોંગ્રેસના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું હતું
હેડ ક્લાર્ક પરીક્ષા પેપર લિંક કૌભાંડ મામલે વિપક્ષ નેતા સુખરામ રાઠવાની આગેવાનીમાં કોંગ્રેસ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપીને છ મુખ્ય માંગણીઓ સાથે રજૂઆત કરી હતી. વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી જવાની ઘટના સામાન્ય બની રહી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાલમાં લેવાયેલ હેડ કલાર્કની પરીક્ષાનું પેપર ઘોર બેદરકારી અને લાપરવાહીના કારણે ફૂટતા રાજ્યના લાખો શિક્ષિત બેરોજગાર યુવાનો હાલાકી અને અરાજકતાનો ભોગ બન્યા છે. રાજ્યના યુવાનોના સરકારી નોકરીઓ મેળવવાના સપનાઓ રોળાયા છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ભરતી કેલેન્ડર બહાર પાડીને શિક્ષિત યુવાનોને રોજગારીના સપનાઓ દેખાડવામાં આવે છે પરંતુ હકીકતે તેનો અમલ કરવામાં આવતો નથી. ભરતી કેલેન્ડર માત્રને માત્ર ચોપડા પર જ રહી જાય છે.
 
આજથી આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપવાસ આંદોલન કરશે
આપના ગુજરાત પ્રભારી ગુલાબસિંહ રાજપૂતે કહ્યું હતું કે, યુવાન નેતા યુવરાજસિંહે પેપરલીક થયાનો મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ આ ભાજપની સરકાર કંઈ સાંભળે તેમ નહતું. જેથી અમે એક પાર્ટી તરીકે ધરણાં કર્યાં હતાં. અમે હાલમાં સરકાર સમક્ષ કેટલીક માંગણીઓ રજુ કરી છે. જ્યાં સુધી અમારી માંગો નહીં સંતોષાય ત્યાં સુધી અમે આમરણાંત ઉપવાસ આંદોલન કરીશું. ઉપવાસ આંદોલનની જાહેરાત બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments