Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનો આક્ષેપ : ભાજપે કૉંગ્રેસના ધારાસભ્યોને 65 કરોડમાં ખરીદ્યા

Webdunia
સોમવાર, 16 માર્ચ 2020 (15:28 IST)
ગુજરાત માં રાજ્યસભા ચૂંટણી પહેલા રવિવારથી રાજકારણ ત્યારે વધુ ગરમાયું જ્યારે કૉંગ્રેસ ના 4 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા. સોમવારે ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિતએ પણ રાજીનામું આપતા કૉંગ્રેસની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ દરમિયાન સોમવારે વિધાનસભા ગૃહમાં બીજેપી અને કૉંગ્રેસ એકબીજા સામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ મૂકી રહી છે. ગૃહમાં કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા એ એક અખબારના અહેવાલને ટાંકતા બીજેપી પર આરોપ મૂક્યો કે કૉંગ્રેસમાંથી રાજીનામા આપેલા 4 ધારાસભ્યોને 65 કરોડ રૂપિયામાં મનાવવામાં આવ્યા છે. અમિત ચાવડાએ વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘરે 65 કરોડનો સોદો કરવામાં આવ્યો હતો. અમિત ચાવડાએ બીજેપી અને મુખ્યમંત્રી રૂપાણી પર આરોપ મૂકતાં કહ્યું કે, 65 કરોડ રૂપિયામાં સોદો કરવામાં આવ્યો છે. આ સોદો મુખ્યમંત્રીના બંગલે કરવામાં આવ્યો હતો. ચાવડાએ સવાલ કર્યો કે, બીજેપી આટલા રૂપિયા ક્યાંથી લાવ્યા તેનો જવાબ આપે. મુખ્યમંત્રી થોડા સમય પહેલા કહેતાં હતાં કે અમે કોઈ ભ્રષ્ટાચાર નથી કરતાં તો ધારાસભ્યો સાથે સોદો કરવા માટે 65 કરોડ રૂપિયા ક્યાંથી લાવ્યા. ચાવડાના આ આરોપ પર વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે, આ પ્રકારની ટિપ્પણી રેકોર્ડ પર નહીં લેવાય. પરંતુ કૉંગ્રેસે ભ્રષ્ટાચારનો આરોપ લગાવતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. બીજી તરફ, કૉંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં અંગે પ્રતિક્રિયા આપતાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ નિવેદન આપતાં કહ્યું કે, ગુજરાતમાં લોકશાહીનું વસ્ત્રાહરણ થયું છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments