Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં મોડી રાત્રે બે માળનું મકાન કડકભૂસ, એકનું મોત

Webdunia
શુક્રવાર, 28 ઑગસ્ટ 2020 (09:27 IST)
અમદાવાદ શહેરમાં સતત જર્જરિત મકાનો ધરાશાયી થઇ રહ્યા છે. ગત 5 દિવસમાં 2 જગ્યાએ મકાન પડવાની ઘટના બની છે. 20 થી 25 ઘટનાઓ બને છે. હજી પણ જૂના અમદાવાદમાં સેંકડોની સંખ્યામાં જર્જરિત મકાનો આવેલા છે. ત્યારે ફરી એકવાર અમદાવાદ કુબેરનગર વિસ્તારના એ-વોર્ડ પાસે જર્જરિત હાલતમાં આવેલું બે માળનું મકાન મોડીરાત્રે બે માળનું મકાન ધરાશાયી થઇ ગયું હતું. છેલ્લા થોડા દિવસોથી અમાદાવાદમાં વરસાદી માહોલ હોવાથી આ મકાન ધરાશાયી થઇ જતાં મકાનના કાટમાળ નીચે બે થી ત્રણ લોકો દબાઇ ગયા હતા. આ અંગે ફાયરબ્રિગેડને જાણ થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવકાર્ય હાથ ધર્યું હતું, જોકે એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. 
ફાયર બ્રિગેડ દ્વારા 5 કલાક સુધી બચાવકાર્યની કામગીરી ચાલી હતી. જેમાં બે લોકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. આ મકાન ધરાશાયી થતા આજુબાજુના રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો હતો. 
 
કુબેરનગરમાં મોડી રાત્રે બે માળના કોમ્પલેક્ષમાંથી 3 દુકાનો ધરાશાયી થઈ હતી. અંદાજે 7 કલાક રેસ્ક્યુ કામગીરી ચાલી હતી. ત્યારે કોમ્પ્લેક્સમાં રહેતા પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, દુકાનના માલિક ઘનશ્યામભાઈ સિંધીની બેદરકારીને કારણએ તેમના પુત્ર પ્રેમ ગઢવીનું મોત નિપજ્યું છે. દુકાન માલિકે જે તે સમયે સમારકામ કરાવીને દુકાનોના પીલરને હટાવી દીધું હતું. જેથી આ ઘટના બની હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

નવાદામાં, બદમાશોએ 70-80 ઘરોને લગાવી આગ, ગોળીઓ પણ ચલાવી, અનેક પોલીસ ઘટના સ્થળે પહોંચી

Jammu Kashmir Election Live: પ્રથમ ચરણનુ મતદાન થયુ પુરૂ, 58 ને પાર થયુ વોટિંગ

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટીમાં આવ્યો માતાને આવ્યો Heart Attack, જુઓ મોતનો Live Video

ગ્લોબલ વૉર્મિંગ એ ગ્લોબલ વૉર્નિંગ છે ત્યારે રિ-ઈન્વેસ્ટનું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

પોપટને શોધનારને 10 હજારનું ઈનામ, અયોધ્યામાં પોસ્ટર જોઈને બધા આશ્ચર્યચકિત

આગળનો લેખ
Show comments