Webdunia - Bharat's app for daily news and videos

Install App

સીએનજી પંપચાલકોની હડતાલ મોફૂક, મહિનાના અંત સુધીમાં પૂર્ણ થશે માંગણીઓ

Webdunia
શુક્રવાર, 3 માર્ચ 2023 (08:42 IST)
ગુજરાતના CNG પંપ સંચાલકોએ 3 માર્ચથી અનિશ્ચિત મુદ્દતની હડતાળની જાહેરાત કરી હતી. તેમના ડીલર માર્જિનમાં ઘણા વર્ષોથી વધારો થયો નથી. આ કારણોસર, સંચાલકોએ સવારે 7 વાગ્યાથી તેમના પંપ અનિશ્ચિત સમય માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો. હવે આ હડતાલ મોકૂફ રાખવામાં આવી છે. ગુરુવારે ગાંધીનગરમાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન (FGDPA)ના સભ્યો, તેલ કંપનીઓના પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ વચ્ચેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
 
FGDPAના પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું હતું કે આ બેઠક લગભગ બે કલાક સુધી ચાલી હતી. બેઠકમાં સંતોષકારક ખાતરી મળી હતી. જે બાદ અમે હડતાલ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. રાજ્યમાં 900 સીએનજી સ્ટેશન છે. બેઠકમાં આ મહિનાના અંત સુધીમાં તેમની માંગણીઓ પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી.
 
પંપ ઓપરેટરોને ગુજરાતમાં વેચાતા સીએનજીના કિલો દીઠ રૂ. 1.7નું માર્જિન આપવામાં આવે છે. પંપ ઓપરેટરો આ જ ડીલર માર્જિનમાં વધારો કરવાની માંગ કરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ કમિશનમાં વાર્ષિક 10 ટકા વધારાની માંગ કરવામાં આવી રહી છે.
 
હકીકતમાં, 55 મહિનાથી સીએનજી પંપ ઓપરેટરોના ડીલર માર્જિનમાં કોઈ વધારો થયો નથી. તેઓ કહે છે કે આના કારણે તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ પણ મુખ્ય કારણ છે, જેના કારણે 3 માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાળની જાહેરાત કરવામાં આવી હતી. એસોસિએશનના સભ્યો અને અધિકારીઓ વચ્ચે બેઠકમાં આ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. સરકાર અને તેલ કંપનીઓએ ડીલરને માર્જિન આપવાનું વચન આપ્યું છે. તેની સમયમર્યાદા પણ માર્ચના છેલ્લા સપ્તાહ સુધી નક્કી કરવામાં આવી છે. જ્યારે તેમની માંગણીઓ અંગે બેઠકમાં રસ્તો મળી આવ્યો, ત્યારે એસોસિએશને હડતાળ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
 
FGDPAના પ્રમુખ અરવિંદ ઠક્કર કહે છે કે છેલ્લા ચાર વર્ષથી ડીલર માર્જિનમાં વધારો થયો નથી. આ દરમિયાન કોરોના મહામારીનો મુશ્કેલ સમય પણ પસાર થયો. તેમ છતાં ડીલર માર્જિન વધ્યું નથી. હવે અમારી પાસે હડતાળ પર જવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments