Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુખ્યમંત્રી વિજય રૂપાણી દર મહિને "મનની મોકળાશ" કાર્યક્રમ યોજશે : નીતિન પટેલ

Webdunia
ગાંધીનગર: રાજ્યની વિકાસયાત્રામાં નાગરિકો પોતાના સૂચનો-વિચારો આપી શકે તે માટે રાજ્ય સરકારે નવતર અભિગમ દાખવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી નાગરિકો સાથે સીધો સંવાદ કરવા પ્રતિમાસ "મનની મોકળાશ" કાર્યક્રમ યોજશે. નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ વિસ્તારના નાગરિકો-નિષ્ણાંતો રાજ્યની કલ્યાણકારી યોજનાઓમાં પોતાના સૂચનો આપી શકે તે માટે મુખ્યમંત્રી તેમના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને નાગરિકોને બોલાવી મહિનામાં એકવાર આ કાર્યક્રમ યોજશે. જરૂર જણાશે તો મહિનામાં બે વાર પણ આ કાર્યક્રમ પ્રતિમાસ યોજાશે.
 
તેમણે ઉમેર્યુ કે, આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના નાગરિકો, શ્રમિકો, આદિવાસીઓ, ખેડૂતો, શિક્ષણવિદો સાથે મુખ્યમંત્રીશ્રી સીધો સંવાદ કરશે, ઉપરાંત વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોને પણ આમંત્રિત કરીને તેમની સાથે પણ પરામર્શ કરવામાં આવશે અને વિકાસ યાત્રામાં તેમને પણ સહભાગી કરાશે, જેના પરિણામે વિકાસ યોજનાના લાભો વધુ સરળતાથી છેવાડાના નાગરિકો સુધી પહોંચતા કરી શકાશે.    
 
આજે રાજ્યમંત્રીમંડળની બેઠકમાં દેશના પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું ગઇ કાલે નિધન થતાં તેઓને શ્રધ્ધાંજલિ આપી ઠરાવ પસાર કરાયો હતો. એ જ રીતે કાશ્મિરને ભારત સાથે એક રૂપ કરવા માટે ૩૭૦ કલમ દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા કરાયો છે તે માટે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments