Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના નવા બનેલા મંત્રીઓને આજથી જ કામે લાગી જવા આદેશ, મંત્રીઓ મુહૂર્ત પ્રમાણે ઓફિસમાં કાર્યભાળ સંભાળશે

Webdunia
શુક્રવાર, 17 સપ્ટેમ્બર 2021 (11:26 IST)
ગુજરાતમાં નવી બનેલી સરકારના મંત્રીઓને બીજા દિવસે કામ પર લાગી જવા માટે મહત્વની સૂચના આપવામાં આવી છે. નવા મંત્રીમંડળની રચના બાદ મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ કમલમ ખાતે પહોંચ્યા હતા. જ્યાં દોઢ કલાકથી વધારે સમય સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, અને પ્રદેશના નેતાઓએ નવા મંત્રીઓને માર્ગદર્શન આપ્યું હતું.શપથવિધિ બાદ કમલમ ખાતે પહેલીવાર મંત્રી તરીકે પહોંચેલા કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ સંદર્ભે આયોજિત વિવિધ કાર્યક્રમમાં જવા માટે સૂચના આપવામાં આવી છે. જેમાં મંત્રીઓને અલગ-અલગ જિલ્લામાં જઈને પ્રધાનમંત્રી મોદીના જન્મદિને આયોજીત કાર્યક્રમમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. આજે મંત્રીઓ કાર્યક્રમમાં વ્યસ્ત કોઈ મંત્રી અધિકૃત રીતે પોતાનો ચાર્જ નહિ સંભાળે. મંત્રીઓ મુહૂર્ત પ્રમાણે પોતાના મંત્રાલયની ઓફિસમાં કાર્યભાર સંભાળશે.ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળની શપથવિધિ આજે રાજભવન ખાતે યોજાઈ હતી, જેમાં નો-રિપીટ થિયરી સાથે તમામ નવા સભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળનું કદ કુલ 25નું રાખવામાં આવ્યું છે, જેમાં 10 કેબિનેટ કક્ષાના મંત્રી અને 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રી રાખવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments