Webdunia - Bharat's app for daily news and videos

Install App

સીબીએસઈ બોર્ડ- રદ નથી થઈ 12મા ની પરીક્ષાના નિર્ણય પર શિક્ષા મંત્રી નિશંકએ કહી આ વાત

Webdunia
રવિવાર, 23 મે 2021 (20:38 IST)
સીબીએસઈ બોર્ડ 12ની ધોરણના વિદ્યાર્થી ચેતજો તમારી પરીક્ષાઓની તૈયારી કરતા રહો કારણ કે અત્યારે તેમની પરીક્ષાઓ રદ નથી થઈ અને ન કોઈ અધિકારિક કોઈ ફેસલો થઈ શક્યો છે. રવિવારે થઈ ઉચ્ચ 
 
સ્તરીય મંત્રી ગ્રુપની બેઠક પછી કેંદ્રીય શિક્ષા મંત્રાલયએ વાત કરી આ વિશે સ્થિતિ સ્પષ્ટ કરી નાખી છે. શિક્ષા મંત્રાલયએ કહ્યુ અમે બારમા ધોરણની સીબીએસઈ અને બીજા રાજ્યો બોર્ડો માટે આયોજિત થનારી 
 
પરીક્ષાઓ  પર ચર્ચા કરી અને બીજા પાઠયક્રમ માટે અખિલ ભારતીય પ્રવેશ પરીક્ષાઓ પર વિચાર કર્યા. પરીક્ષાની પ્રક્રિયા સમય અને સામાન્ય સંમતિ હતી. પરીક્ષાઓના આયોજનને લઈને રાજ્ય અને કેંદ્ર શાસિત 
 
પ્રદેશ 25 મે સુધી લેખિતમાં તેમની પ્રતિક્રિયા મોકલશે. કેંદ્રીય શિક્ષા મંત્રાલય તે બધા મુદ્દાઓ પર વિચાર કરશે અને જલ્દી જ અંતિમ નિર્ણય લેશે. શિક્ષા મંત્રાલયની પ્રાથમિકતા બધા પરીક્ષાઓને સુરક્ષિત વાતાવરણામાં લેવાનુ છે. 

સીબીએસઇ અને અન્ય રાજ્યોની 12 મા વર્ગ બોર્ડની પરીક્ષાઓ માટે પ્રોફેશનલ કોર્સો માટે થનારી પરીક્ષાઓ સહિત આજે સવારે હાઈ લેવલ મીટિંગ હતી. 
વિશ્વના સૌથી મોટી મોટી શિક્ષણ પ્રણાલી સાથે સંકળાયેલા   મુખ્યમંત્રીઓ, શિક્ષણમંત્રીઓ અને  અને અધિકારીઓએ રાજનાથ સિંહની અધ્યક્ષતામાં હાઈ લેવલ બેઠકમાં ભાગ લેવા બદલ કેન્દ્રીય શિક્ષણ મંત્રીનો આભાર માન્યો હતો.
 
કેંદ્રએ પરીક્ષાઓને લઈને રાજ્યોની સામે બે વિક્લપ રાખ્યા 
1. કેટલાક મુખ્ય વિષયો (19 વિષય) ની જ પરીક્ષાઓ કરાવો અને તેના આધારે બાકી વિષયોનો મૂલ્યાંકન કરાવીએ. 
આ પ્રક્રિયામાં એક મહીનાનો પ્રી -પરીક્ષા એક્ટિવિટીનો સમય લાગશે અને બે મહીનાના સમય પરીક્ષાઓ આયોજીત કરાવવા અને પરિણામ જાહેર કરવામાં. ત્યારબાદ 30 દિવસનો સમય કંપાર્ટમેંટ પરીક્ષાઓ આયોજીત કરવામાં લાગશે. આ પ્રક્રિયા સેપ્ટેમબર સુધી પરીક્ષાઓ પૂર્ણ કરાશે. 
 
2. 12માની પરીક્ષાઓ વિદ્યાર્થીઓના શાળામાં જ હોય, ત્રણ કલાકની જગ્યા પરીક્ષાઓ 1.5 કલાકની હોય. સાથે જ શાળામાં જ કૉપીઓ ચેક કરાય. તેમાં ઑપ્શન બી હતો કે વિદ્યાર્થીઓથી આ પૂછી લો જે તેણે બધા વિષયોની જગ્યા કયાં 4 કે 4 વિષયોની પરીક્ષાઓ આપવી છે. એટલે આ વિક્લપમાં પણ 19 વિષયોની પરીક્ષાઓ આયોજીત કરાશે. બીજા વિક્લપમાં બહુવિક્લપીય પ્રશ્નો સાથે પરીક્ષાઓ યોજવાના વિકલ્પ પર પણ વિચાર કરી શકાય છે. 
 
બોર્ડ બે વાર પરીક્ષાઓ યોજવાનું પણ વિચારી શકે છે. જેથી જે વિદ્યાર્થીઓ પ્રથમ વખત પરીક્ષાઓમાં ભાગ લેતા ન હોય તેઓ બીજી વખતની પરીક્ષાઓમાં ભાગ લઈ શકે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર આખા દેશમાં લગાવી રોક, ફક્ત આ મામલામાં કાર્યવાહીની છૂટ

જાણો PM મોદી ક્યાંથી ખરીદે છે કપડાં, કુર્તા-પાયજામાના એક સેટની કિંમત જાણીને તમે ચોંકી જશો.

Vladimir Putin: ઓફિસમાં બ્રેક દરમિયાન કરો સેક્સ, યૂક્રેન સાથે યુદ્ધ વચ્ચે પુતિનનુ ચોંકાવનારુ નિવેદન

આગળનો લેખ
Show comments