Webdunia - Bharat's app for daily news and videos

Install App

BRTSના કોઈપણ કોરિડોરમાં વાહન લઈને ઘૂસ્યા તો ફોજદારી ગુનો નોંધી ધરપકડ થશે

Webdunia
મંગળવાર, 26 નવેમ્બર 2019 (12:16 IST)
અમદાવાદમાં બીઆરટીએસની બસ અને અન્ય વાહનો વચ્ચે વધતા જતા અકસ્માતો નિવારવા મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઉચ્ચ અધિકારીઓ સાથે યોજેલી બેઠકમાં બીઆરટીએસ કોરિડોરમાં દાખલ થતાં વાહનચાલકો સામે કોગ્નિઝેબલ (ફોજદારી) ગુનો નોંધી પોલીસને ધરપકડ કરવાની સત્તા આપવાનો આદેશ કર્યો છે.  ગૃહમંત્રીએ કહ્યું, બીઆરટીએસ કોરિડોરમાં અકસ્માત ઘટાડવા અમદાવાદ પોલીસ કમિશનરના અધ્યક્ષસ્થાને ખાસ કમિટી રચાશે જેમાં મ્યુનિ. કમિશનર ઉપાધ્યક્ષ રહેશે જ્યારે ટ્રાન્સપોર્ટ કમિશનર, સિટી એન્જિનિયર, ટ્રાફિકના જેસીપી સભ્યો હશે. આ કમિટી દર પંદર દિવસે મળશે અને રિવ્યૂ કરશે. બીઆરટીએસ કોરિડોરમાં સીસીટીવી છે પરંતુ નબળી બેન્ડવિથથી વીડિયોની ગુણવત્તા સારી નથી. જેથી કોરિડોરમાં ઘૂસતાં વાહનોના નંબર જાણવા સારી ક્વોલિટીના કેમેરા મુકાશે. બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસતાં વાહનોને અટકાવવા મ્યુનિ.એ બાઉન્સરોનો સહારો લીધો છે. સોમવારે સવારથી જ પોલીસની સાથે 8 બાઉન્સરે જશોદાનગર સહિતના કેટલાક કોરિડોરમાં લોકોને અટકાવી દંડ વસૂલ કર્યો હતો. જશોદાનગર પાસે બીઆરટીએસ કોરિડોમાં ઘૂસી ગયેલી બીએમડબલ્યૂ, મર્સિડીઝ જેવી કારના માલિકો પાસેથી રૂ.1500થી 3 હજાર દંડ વસૂલ્યો હતો. બીઆરટીએસના જે રૂટમાં અકસ્માત થવાનું સૌથી વધુ જોખમ છે અને ભૂતકાળમાં જ્યાં સૌથી વધુ અકસ્માતો થયા છે તેની યાદી કોર્પોરેશન પાસેથી મેળવવામાં આવી છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા મંગળવારે આ સ્થળોની મુલાકાત લેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

15 કલાક બાદ બોરવેલમાંથી બાળકી સુરક્ષિત બહાર આવી, રેસ્ક્યુ ટીમે ટનલ બનાવીને તેનો જીવ બચાવ્યો

આગળનો લેખ
Show comments