Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતની ચૂંટણીમાં સૌથી મોટો સવાલ પટેલ મતદારો કોની તરફેણમાં રહેશે

Webdunia
સોમવાર, 16 ઑક્ટોબર 2017 (15:17 IST)
પાટીદાર મતદારો ભાજપની વોટબેન્ક ગણાય છે પણ આ વખતે પરિસ્થિતી કઇંક અલગ છે. વિધાનસભાની ચૂંટણીમાં અનામતના મામલે વિરોધ સર્જાતાં પાટીદારો મતદારોમાં ભાગલાં પડે તેવી દશા છે. એટલુ જ નહીં, પાટીદાર આંદોલનકારી અને પાટીદાર ધાર્મિક સંસ્થાના આગેવાનો અત્યારે આમને સામને આવ્યાં છ.હવે વિધાનસભાની ચૂંટણીમાં પટેલ મતદારો કોની તરફ ઢળે છે તેના પર સૌ કોઇની નજર મંડાઇ છે.

સૂત્રોના મતે,ભાજપની વોટબેન્ક ગણાતા પાટીદાર મતદારોમાં ઉભા ફાચડાં પડયાં છે. અનામતના પ્રકરણ બાદ પાટીદારો ભાજપથી મોં ફેરવીને બેઠાં છે. આ તરફ, ભાજપ સરકારે પણ ગુજરાત સવર્ણ આયોગ બનાવીને પાટીદારોને મનાવવા પ્રયાસ કર્યો છે. પાટીદારો પરના પોલીસ કેસો પાછા ખેંચવાની શરૃઆત કરી દીધી છે. પાટીદાર કોર કમિટીના અધ્યક્ષ સી.કે.પટેલે કહ્યું કે, ગઇકાલે જ કોર કમિટીની સરકાર સાથે બેઠક થઇ જેમાં સકારાત્મક વાતચીત થઇ છે. પાટીદાર સમાજના હિતના મુદદાઓ સ્વિકારાયા છે. કોર કમિટી સમાજ-સરકાર વચ્ચે સેતુનું કામ કરશે. બીજી તરફ,હાર્દિક પટેલે કહ્યું કે, ચૂંટણીને પગલે સરકારે કસો પાછા ખેંચ્યા છે. પાટીદારો પર થયેલાં જૂલમ ભૂલી શકાય નહીં. પાટીદારો પાઠ ભણાવીને જ રહેશે. ખોડલધામમાં પાટીદાર આગેવાન નરેશ પટેલે બેઠક બોલાવી પાટીદાર સમાજમાં ચૂંટણીને લઇને વૈમનસ્ય ન ઉભુ થાય તે માટે અપીલ કરી છે. અત્યારથી પરિસ્થિતી જોતાં લાગે છેકે, પાટીદારોમાં ચાર ચોકામાં વહેંચાયા છે જેના લીધે પાટીદારો મતો વહેંચાશે. પાટીદાર મતો વહેંચાય તો,ભાજપને નુકશાન વેઠવુ પડે જયારે કોંગ્રેસને તો નફો એટલો વકરો છે. હાલમાં તો ભાજપ અને કોંગ્રેસે પાટીદાર મતો અંકે કરવા એડીચોટીનું જોર લગાવ્યું છે. બંન્ને રાજકીય પક્ષોએ પાટીદાર કાર્ડ ખેલવાનુ નક્કી કર્યું છે ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારો કોની તરફેણ કરશે, કોને રાજકીય સબક શિખવાડશે તે હવે જોવાનું રહ્યું .

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

બહરાઈચમાં સાથી વરુના હાથે ઝડપાઈ જતાં 'લંગડો સરદાર' બન્યો ખતરનાક, હવે બાળકી પર કર્યો હુમલો

દંપતી તેમના બે વર્ષના પુત્ર સાથે રીલ બનાવી રહ્યું હતું, ટ્રેનની અડફેટે ત્રણેયના મોત થયા

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન જવાનો આ રસ્તો ત્રણ વર્ષ માટે બંધ, જાણો વૈકલ્પિક માર્ગ

શિમલામાં પ્રદર્શન બેકાબૂ, પોલીસે લાઠીચાર્જ, વોટર કેનન્સ

સુરત અને વડોદરા બાદ ભરૂચમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, પોલીસે ફરિયાદ નોંધી 17ની ધરપકડ કરી

આગળનો લેખ
Show comments