Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતની ચૂંટણીમાં સૌથી મોટો સવાલ પટેલ મતદારો કોની તરફેણમાં રહેશે

Webdunia
સોમવાર, 16 ઑક્ટોબર 2017 (15:17 IST)
પાટીદાર મતદારો ભાજપની વોટબેન્ક ગણાય છે પણ આ વખતે પરિસ્થિતી કઇંક અલગ છે. વિધાનસભાની ચૂંટણીમાં અનામતના મામલે વિરોધ સર્જાતાં પાટીદારો મતદારોમાં ભાગલાં પડે તેવી દશા છે. એટલુ જ નહીં, પાટીદાર આંદોલનકારી અને પાટીદાર ધાર્મિક સંસ્થાના આગેવાનો અત્યારે આમને સામને આવ્યાં છ.હવે વિધાનસભાની ચૂંટણીમાં પટેલ મતદારો કોની તરફ ઢળે છે તેના પર સૌ કોઇની નજર મંડાઇ છે.

સૂત્રોના મતે,ભાજપની વોટબેન્ક ગણાતા પાટીદાર મતદારોમાં ઉભા ફાચડાં પડયાં છે. અનામતના પ્રકરણ બાદ પાટીદારો ભાજપથી મોં ફેરવીને બેઠાં છે. આ તરફ, ભાજપ સરકારે પણ ગુજરાત સવર્ણ આયોગ બનાવીને પાટીદારોને મનાવવા પ્રયાસ કર્યો છે. પાટીદારો પરના પોલીસ કેસો પાછા ખેંચવાની શરૃઆત કરી દીધી છે. પાટીદાર કોર કમિટીના અધ્યક્ષ સી.કે.પટેલે કહ્યું કે, ગઇકાલે જ કોર કમિટીની સરકાર સાથે બેઠક થઇ જેમાં સકારાત્મક વાતચીત થઇ છે. પાટીદાર સમાજના હિતના મુદદાઓ સ્વિકારાયા છે. કોર કમિટી સમાજ-સરકાર વચ્ચે સેતુનું કામ કરશે. બીજી તરફ,હાર્દિક પટેલે કહ્યું કે, ચૂંટણીને પગલે સરકારે કસો પાછા ખેંચ્યા છે. પાટીદારો પર થયેલાં જૂલમ ભૂલી શકાય નહીં. પાટીદારો પાઠ ભણાવીને જ રહેશે. ખોડલધામમાં પાટીદાર આગેવાન નરેશ પટેલે બેઠક બોલાવી પાટીદાર સમાજમાં ચૂંટણીને લઇને વૈમનસ્ય ન ઉભુ થાય તે માટે અપીલ કરી છે. અત્યારથી પરિસ્થિતી જોતાં લાગે છેકે, પાટીદારોમાં ચાર ચોકામાં વહેંચાયા છે જેના લીધે પાટીદારો મતો વહેંચાશે. પાટીદાર મતો વહેંચાય તો,ભાજપને નુકશાન વેઠવુ પડે જયારે કોંગ્રેસને તો નફો એટલો વકરો છે. હાલમાં તો ભાજપ અને કોંગ્રેસે પાટીદાર મતો અંકે કરવા એડીચોટીનું જોર લગાવ્યું છે. બંન્ને રાજકીય પક્ષોએ પાટીદાર કાર્ડ ખેલવાનુ નક્કી કર્યું છે ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારો કોની તરફેણ કરશે, કોને રાજકીય સબક શિખવાડશે તે હવે જોવાનું રહ્યું .

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

આગળનો લેખ
Show comments