Webdunia - Bharat's app for daily news and videos

Install App

બનાસકાંઠામાં પુરમાં ફસાયેલા એક જ પરિવારના 17 સભ્યોનું મોત

Webdunia
બુધવાર, 26 જુલાઈ 2017 (15:06 IST)
ઉત્તર ગુજરાતમાં અત્યારે જળપ્રલયની સ્થિતિ છે ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં વધુ એક   ઘટના સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના થરાના રૂણી ગામે એક જ પરિવારના 17 લોકોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. ખારિયાના દેશલાજી નવાજી ઠાકોરનો આ પરિવાર હતો.

છ ભાઇઓનો પરિવાર એક સાથે રહેતો હતો. જેમનું પૂરમાં ફસાઇ જતાં મોત થયાં છે. આ પરિવારમાંથી એક જ વ્યક્તિ બચ્યા હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.મળતી માહિતી પ્રમાણે આ પરિવાર પૂરના પાણીમાં ધાબા પર આસરો લીધો હતો. પરંતુ પાણીનો પ્રવાહ વધી જતાં સમગ્ર પરિવાર પુરના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સુત્રો એ પણ જણાવી રહ્યા છે કે આ પરિવારે તંત્રનો સંપર્ક સાધવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને મદદ મળી શકી નહોતી. હેલિકોપ્ટરથી તેમને મદદ મળી હોત, તો કદાચ તેમનો જીવ બચી ગયો હતો. આસપાસના ગામ લોકોએ તેમના મૃતદેહ બહાર કાઢ્યા હતા. હાલ, તંત્ર ત્યાં પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.
 
છ ભાઇઓના પરિવાર ઉપર આભ તુટી પડયુ હોય તેમ આખો પરિવાર પુરપ્રકોપનો ભોગ બન્યો છે જેમાં પુરૂષો, મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. પુલના તુટતા નદીના પાણી ખારીયા ગામમાં ફરી વળ્યા હતા અને તેમાં આખો પરિવાર સાફ થઇ ગયો હોવાનું જાણવા મળે છે. આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ભારે ગમગીની ફેલાવી દીધી છે.
 
છ ભાઇઓનો પરિવાર એક સાથે રહેતો હતો. જેમનુ પુરમાં ફસાઇ જતા મોત નિપજયા છે. આ પરિવારમાંથી એક જ વ્યકિત બચી છે. આ પરિવારે તંત્રનો સંપર્ક સાધવાનો ખુબ પ્રયાસ કર્યો હતો. જો કે તેમને મદદ મળી નહોતી. હેલીકોપ્ટરથી તેમને મદદ મળી હોત તો કદાચ તેમનો જીવ બચી ગયો હોત. આસપાસના ગામ લોકોએ તેમના મૃતદેહ બહાર કાઢયા હતા. હાલ આર્મી સહિતની ટીમો અને સરકારી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યુ હોવાનું જાણવા મળ્યુ છે.
 
કાદવમાંથી બહાર કઢાયા મૃતદેહો -    ભારે વરસાદને કારણે બનાસકાંઠામાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. હજુ અનેકગામો સંપર્ક વગરના છે. આ ૧૭ જણાને કોઇ બચાવવા આવ્યુ ન હતુ તેથી તેઓ મોતને ભેટયા હતા. આજે કાદવમાંથી આ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતદેહોને પાવડાથી ખોદી બહાર લવાયા હતા.
 
દરમિયાન જાણવા મળતી વિગતો મુજબ આ ગામમાં પૂરના પાણી ફરી વળ્યા હતાં અને ૧૫-૧૫ ફુટ સુધી  પાણી ઉંચે ચડતા ઘરના ઘર ડૂબી ગયા હતા. અત્યારે આ ગામમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું અને અત્યારે લોકોના ટોળેટોળા ગામમાં ઊમટી પડ્યા છે. એવું જાણવા મળે છે કે બનાસ નદીના ધસમસતા પાણીએ કાળો કેર વર્તાવ્યો હતો. હજુ અનેક લાશો કાદવ હેઠળ દટાયેલી હોવાનું જાણવા મળે છે, તેથી મૃત્યુઆંક  વધશે તેવું જણાય છે. ખૂબ જ ભયાનક સ્થિતિ હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.ટોટણા, જામપુર અને નડી ઉપરના ઘણા ગામોમાં પૂરે વિનાશ સર્જ્યો હોવાનું જાણવા મળે છે. આ ગામોમાં અનેકના મોત થયાનું જાણવા મળે છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments