Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસના બળવાખોરને ભાજપ સરકારે બખ્ખાં કરાવ્યાં, બળવંતસિંહ રાજપૂત પાસેથી ભાજપ સરકારે રૃા.૪૫ કરોડનું તેલ ખરીદ્યું

Webdunia
શનિવાર, 17 માર્ચ 2018 (12:26 IST)
કોંગ્રેસના બળવાખોરને ભાજપ સરકારે બખ્ખાં કરાવ્યાં, બળવંતસિંહ રાજપૂત પાસેથી ભાજપ સરકારે રૃા.૪૫ કરોડનું તેલ ખરીદ્યું 

રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસને બાયબાય કહીને કેસરિયો ખેસ ધારણ કરનારાં બળવંતસિંહ રાજપૂત પર ભાજપ સરકાર મહેરબાન રહી છે.રાજ્યના નાગરિક પુરવઠા વિભાગે બળવંતસિંહ રાજપૂતની ગોકુલ એગ્રી ઇન્ટરનેશનલ લી.પાસેથી રૃા.૪૫ કરોડનું ખાદ્યતેલ ખરીદીને બખ્ખાં કરાવી દીધાં છે.ભાજપના રાજમાં ય કોંગ્રેસના બળવાખોરોને સરકારમાંથી મલાઇ તારવા મળી છે. વિધાનસભામાં રાજ્યમાં ખાદ્યતેલના બફર સ્ટોકના મામલે કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નમાં એવી ચોંકાવનારી વાતનો ખુલાસો થયો છેકે, રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૬ અને વર્ષ ૨૦૧૭માં કુલ મળીને ૨,૦૨,૮૭,૪૬૪ રિફાઇન્ડ તેલના પાઉચ ખરીદ્યા હતાં.

નાગરિક પુરવઠા વિભાગે તેલ સપ્લાય કરતી કંપનીઓ જેમ કે,પાર્થ કોમોડીટી સર્વિસીસ પ્રા.લિ, મેપ રિફોઇલ્સ ઇન્ડિયા લી,વિમલ ઓઇલ એન્ડ ફુડ્સ લી અને ગોકુલ એગ્રી ઇન્ટરનેશનલ પ્રા.લી પાસેથી તેલ ખરીદ્યુ હતું. ઓગષ્ટ,૨૦૧૬માં સરકારે ગોકુલ એગ્રી ઇન્ટરનેશન પાસેથી ૯,૦૫,૭૬૦ પાઉચ,સપ્ટેમ્બરમાં ૯,૦૫,૭૬૦,ઓક્ટોબરમાં ૬,૫૯,૩૨૮ પાઉચ,આ જ મહિનામાં ફરી ૪,૭૩,૫૪૪ પાઉચની ખરીદી કરી હતી. ઓગષ્ટ,૨૦૧૭માં આ જ કંપની પાસેથી ૧૭,૨૭,૬૬૪ પાઉચની ખરીદાયા હતાં. ઓકટોબરમાં ૯,૧૧,૬૮૮ પાઉચ તેલ ખરીદવામાં આવ્યુ હતું. આમ કુલ મળીને બળવંતસિંહ રાજપુતની તેલની કંપનીમાંથી ૬૪,૯૦,૯૬૮ તેલના પાઉચ ખરીદવામાં આવ્યા હતાં. કોંગ્રેસના જ ધારાસભ્યોનો આક્ષેપ છેકે,વિરોધપક્ષમાં બેસીને ભાજપને ગાળો ભાંડનારા બળવંતસિંહ રાજપૂત પહેલેથી જ સરકારમાં સેટિંગ પાડવામાં માહિર છે.વેપારધંધામાં ગોઠવણ પાડવા માટે જ તેમણે કોંગ્રેસનો હાથ છોડયો છે. આ તરફ,ભાજપે પણ બળવાખોર બળવંતસિંહને સરકારમાં મલાઇ તારવાની ગોઠવણ કરી આપી છે 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments