Webdunia - Bharat's app for daily news and videos

Install App

નોવોટેલે સેનાના ગોલ્ડન કટાર ડિવિઝનના AWWA સપ્તાહની કરી ઉજવણી

Webdunia
શુક્રવાર, 23 ઑગસ્ટ 2019 (15:02 IST)
અમદાવાદ: આર્મી વાઈવ્ઝ વેલફેર એસોસિએશન (AWWA) સપ્તાહ મનાવવાના  ભાગ તરીકે નોવોટેલ અમદાવાદે સેનાના ગોલ્ડન કટાર ડિવિઝનના જવાનોની પત્નીઓ માટે એક રસોઈ વર્કશોપનું આયોજન કર્યું હતું. નોવેટેલના શેફે આ વર્કશોપ માટે ખાસ શાકાહારી વાનગીઓ તૈયાર કરી હતી અને તેમને રસોઈ અંગેની કેટલીક ટીપ્સ પણ આપી હતી. આ ઈન્ટરએક્ટીવ વર્કશોપનો ઉદ્દેશ સેનાના જવાનોની પત્નીઓને રસોઈનુ કૌશલ્ય શિખવવાનો હતો, જેથી તે ઘરમાં જ ઉપલબ્ધ સાધનસામગ્રી વડે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકે.
આ વર્કશોપને  જવાનોની પત્નીઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિભાવ મળ્યો હતો. તેમાં તેમનો રસોઈ માટેનો  શોખ વર્તાતો હતો. નોવેટેલના શેફે તેમને વિવિધ પ્રકારની ટીપ્સ આપી હતી અને પોતાની સ્વાદ પસંદગી અનુસાર કઈ રીતે વાનગીઓ તૈયાર કરી શકાય તે જણાવ્યું હતું. આ વર્કશોપમાં સેનાના જવાનોની આશરે 30 પત્નીઓ સામેલ થઈ હતી.
આર્મી વાઈવ્ઝ વેલફેર એસોસિએશન (AWWA) એ ભારતનુ સૌથી મોટુ સ્વૈચ્છિક સંગઠન છે. તે સેનાના જવાનોના  જીવનસાથી અને આશ્રીતોના સામાજીક સશક્તિકરણ અને કૌશલ્ય વિકાસ મારફતે વિવિધ  સામાજીક જવાબદારીઓ અદા કરે છે. આ એસોસિએશનની નોંધણી તા. 23 ઓગસ્ટ 1966ના રોજ કરાઈ હતી .વર્ષના તે દિવસને આવા ડે તરીકે મનાવવામાં આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments