Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફોઈના દિકરાએ જ સગીરાને હવસનો શિકાર બનાવી

Webdunia
સોમવાર, 4 એપ્રિલ 2022 (17:24 IST)
ગુજરાતમાં મહિલાઓ સાથે અત્યાચારની ઘટનાઓ દિવસો દિવસ વધતી જઈ રહી છે.  દુખની વાત એ છે કે આ અત્યાચાર એ જ લોકો કરે છે જેના પર અત્યાચારનો ભોગ બનેલી વ્યક્તિ કે તેનો પરિવાર વિશ્વાસ કરતા હોય. હવે આ એક મોટો પ્રશ્ન છે કે શુ હવે દિકરીઓને સગાઓ પર પણ વિશ્વાસ ન કરવાની શીખ આપવી શરૂ કરુ દેવી જોઈએ ? આવી જ એક ઘટના જસદણ તાલુકાના ભંડારિયા ગામમાં એક વાડીમાં રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના પરિવાર સાથે બની છે. પરિવારની સગીરાને તેના ફઈના દીકરાએ જ હવસનો શિકાર બનાવી દુષ્કર્મ ગુજાર્યું હતું. ગઈકાલે સગીરાને અચાનક પેટમાં દુખાવો ઊપડતાં સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
 
આ દુષ્કર્મના બનાવમાં સગીરા સાથે તેના ફઈના દીકરાએ જ શરીરસંબંધ બાંધી લીધાનું સામે આવ્યું હતું. ગઇકાલે 15 વર્ષની એક સગીરાને પેટના દુખાવાની ફરિયાદ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહીં લાવવામાં આવતાં ઝનાના વિભાગમાં સારવાર દરમિયાન સગીરાના પેટમાં ત્રણ માસનો ગર્ભ હોવાનું જણાયું હતું. બાદમાં સગીરાની પૂછપરછમાં એવી વિગતો ખૂલી હતી કે તે હાલ જસદણના ભંડારિયા ગામની વાડીમાં માતા-પિતા સાથે રહે છે. ત્રણેક મહિના પહેલાં તેના ફઈ વતન મધ્યપ્રદેશ લઈ ગયાં હતાં.
 
હોળીના તહેવાર પર તે વતનમાં ગયા બાદ ફરી જસદણના ભંડારિયા ગામમાં પોતાના માતા-પિતા પાસે પરત ફરી હતી. પરંતુ ગઈકાલે અચાનક દુઃખાવો થતા પ્રથમ સરધાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અહીં તેને ત્રણ માસનો ગર્ભ હોવાનું જણાયું હતું. સગીરાએ ભાડલા પોલીસને નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેના ફઇના સગીર વયના દીકરાએ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આથી ભાડલા પોલીસે જરૂરી કાગળો કરી જે વિસ્તારમાં બનાવ બન્યો તે વિસ્તારના પોલીસ મથકમાં જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments