Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત સરકારે મેલેરિયાની આ બે દવા પર ફરમાવ્યો પ્રતિબંધ

Webdunia
ગુરુવાર, 12 એપ્રિલ 2018 (13:23 IST)
ગુજરાત સરકારે મેલેરીયાના દર્દીની સારવારમાં ઉપયોગમાં લેવાતી બે દવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. સરકારે  આર્ટીમિથર અને લ્યુમેટેન્ટ્રીન નામની બે દવાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ અંગે સરકારે તેના હેલ્થ વિભાગ હેઠળ કામ કરતા તમામ તબીબી અધિકારીઓને એક પરીપત્ર જાહેર કરીને આ અંગે જાણ કરી છે. જો કે આ બન્ને દવાઓના ઉપયોગથી આડસર થતી હોવાના અહેવાલ બાદ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તે પણ જણાવવામાં આવ્યુ છે કે ડોકટરો દ્વારા મેલેરીયા અને  ઈન્ફેકશનની સારવાર માટે  દર્દીઓને આર્ટીમિથર અને લ્યુમેટેન્ટ્રીન દવા ન લખી આપવી જોઈએ.

તેમજ સરકારે રાષ્ટ્રીય વેક્ટર બર્ન ડીસીઝ કન્ટ્રોલ પ્રોગ્રામ, નવી દિલ્હી પાસેથી પ્રાપ્ત પત્ર અને ઈમેલનો ઉલ્લેખ કરતા જણાવ્યુ છે કે આ બન્ને દવાઓની આડ અસર થતી હોવાથી તેનો ઉપયોગ ન કરવો જોઈએ. જે દર્દીઓની સારવાર માટે આ બન્ને દવાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેમની યાદી અને મેડિકલ રેકોર્ડસ મોકલવા માટે મેડિકલ ઓફિસરોને  સુચના આપવામાં આવી છે. તેમજ દર્દીઓને આ દવાથી જે આડસર થઈ હોય તેનુ મોનીટરીંગ કરવા માટે જણાવવામાં આવ્યુ છે. આ તમામ રીપોર્ટે તૈયાર કરીને મેડિકલ ઓફિસરોએ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગને મોકલવો પડશે. આ દવા ખાવાથી દર્દીને સ્નાયુઓનો દુખાવો થવો, તાવ આવવો, ભૂખ ન લાગવી, માથામાં દુખાવો થવો સહિતની આડસરો થાય છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments