Webdunia - Bharat's app for daily news and videos

Install App

જામનગરમાં ઇમર્જન્સી લૅન્ડ થયેલી ફ્લાઇટની સઘન તપાસ ચાલુ

Webdunia
મંગળવાર, 10 જાન્યુઆરી 2023 (08:41 IST)
જામનગરના ઍરપોર્ટ પર સોમવારે એક ફ્લાઇટનું ઇમર્જન્સી લૅન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
 
સમાચાર એજન્સી એએનઆઇ અનુસાર, સુરક્ષા દળે મંગળવારે મૉસ્કો-ગોવા ફ્લાઇટના તમામ મુસાફરોની સઘન તપાસ ચાલું કરી છે.
 
જિલ્લા કન્ટ્રોલ રૂમ સાથે કરેલી વાત અનુસાર, આ વાતની પુષ્ટિ કરાઈ હતી અને પોલીસ સહિતની વિવિધ ટીમો વિશેષ તપાસ અર્થે ઍરપોર્ટ જવા રવાના થઈ હતી અને તપાસ કરી રહી હતી.
 
પ્રાપ્ત સમાચારો અનુસાર, આ ફ્લાઇટ મૉસ્કોથી ગોવા જઈ રહી હતી.
 
જામનગરના કલેક્ટર ડૉ. સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે, “9મી જાન્યુઆરીએ રાત્રે 11.20 વાગ્યે મોસ્કોથી ગોવા જતી ફ્લાઇટમાં બૉમ્બ હોવાની જાણકારી મળતા જામનગર ઍરપોર્ટ ખાતે ડાઇવર્ટ કરવામાં આવી હતી.”
 
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “ફ્લાઇટમાં બેઠેલા 236 મુસાફરો અને 8 ક્રૂ સાથે 244 મુસાફરોને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા.તમામ મુસાફરો ઍરપોર્ટ લોન્જમાં પ્રતિક્ષારત છે. બૉમ્બના ડિટેક્શન અને ડિસ્પોઝલની કામગીરી હાથ ધરાઈ હતી.”
 
તેઓએ એએનઆઇ સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, સુરક્ષા એજન્સીઓ મુસાફરોની વિગતો પણ તપાસી રહી છે. તમામ મુસાફરોનું સામાન્ય સ્કેનિંગ કરીને ચેકિંગ પણ કરવામાં આવે છે. નવ કલાકથી સતત તપાસ ચાલી રહી છે. મુસાફરોના સામાનનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
 
ગોવાના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “વિમાન ડૅબોલિમ ઍરપોર્ટ પર લૅન્ડ થવાનું હતું. સાવચેતીના પગલારૂપે આ ઍરપોર્ટ પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.”
 
ન્યુ દિલ્હીમાં રશિયા દૂતાવાસના એક અધિકારીએ કહ્યું હતું કે, “ભારતીય અધિકારીઓ દ્વારા એ સૂચિત કરવામાં આવ્યું હતું કે, મૉસ્કોથી ગોવા જઈ રહેલી અઝુર ઍરની ફ્લાઇટમાં બૉમ્બ હોવાની ધમકી મળ્યાની માહિતી મળી હતી. એરક્રાફ્ટને જામનગરના ઍરફોર્સ ઍરબેઝ પર લૅન્ડ કરવામાં આવ્યું હતું અને તમામ મુસાફરો સુરક્ષિત છે.”
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર ફ્લાઇટ મૉસ્કોથી ગોવા આવી રહી હતી, જેમાં બૉમ્બ હોવાની ધમકીને પગલે જામનગરમાં ડાઇવર્ટ કરવામાં આવી હતી. ગોવા ઍર ટ્રાફિક કંટ્રોલને ફ્લાઇટમાં બૉમ્બ હોવાની ધમકી મળી હતી.
<

Moscow-Goa chartered flight diverted to Jamnagar, Gujarat after Goa ATC received a bomb threat. Aircraft is under isolation bay, further investigation is underway: Airport officials to ANI pic.twitter.com/ActR0WR6Qz

— ANI (@ANI) January 9, 2023 >
હાલમાં વિમાન જામનગર ઍરપૉર્ટ પર છે અને એની તપાસ કરાઈ રહી છે.
 
જામનગર ઍરપૉર્ટના ડિરેક્ટરને ટાંકીને એએનઆઈ જણાવ્યું હતું કે, વિમાનમાં સવાર તમામ 244 મુસાફરોને સુરક્ષિત ઉતારી લેવાયા છે. વિમાનનું 9:49 વાગ્યે ઇમર્જન્સી લૅન્ડિંગ કરવામાં આવ્યું હતું.
 
જામનગરના એસ.પી.એ ન્યૂઝ ચેનલ 'આજતક' સાથે કરેલી વાતચીત અનુસાર, ડરનું કોઈ કારણ નથી. વિમાનમાં બૉમ્બ હોવાની સૂચના મળી હતી અને એટલે વિમાનનું ઇમરજન્સી લૅન્ડિંગ કરાવાયું હતું. તમામ મુસાફરો ઍરપૉર્ટ પર હાજર છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગેસ, એસિડિટી અને ખાટા ઓડકારથી પરેશાન છો ? સૂતા પહેલા આ ઘરેલું ઉપાયો અજમાવો

દહીંવાળી મિર્ચી રેસીપી

ઉનાળામાં દહીં સાથે 5 મિનિટમાં બનાવો આ 3 ઇન્સ્ટન્ટ ટેસ્ટી વાનગીઓ, બધાને મજા આવશે

કોરિયન સ્ટ્રોબેરી દૂધ

Baby new Names in gujarati- હિન્દુ બાળકોના નામ

વધુ જુઓ..

નવીનતમ

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

ગુજરાતી જોક્સ - ભગવાન ક્યાં છે?"

Happy Birthday: અયોધ્યામાં જન્મેલી અભિનેત્રી, સાક્ષી ધોનીની હતી ક્લાસમેટ, લગ્ન પછી છોડી દીધો અભિનય, છતાં આજે પણ છે સુપરસ્ટાર

Harry Potter ફેમ એક્ટરના ઘરે આવી નાનકડી પરી, ફોટો સાથે બતાવ્યુ ક્યુટ નામ

બીયરની જેમ પોતાનુ યૂરિન પીતા હતા પરેશ રાવલ, અભિનેતાએ પોતે કર્યો ખુલાસો, ચોંકાવનારુ બતાવ્યુ કારણ

આગળનો લેખ
Show comments