Webdunia - Bharat's app for daily news and videos

Install App

Amul Dairyને બાનમાં લેનારા ઠાકોર સેનાના 300 કાર્યકરોની અટકાયત

Webdunia
શુક્રવાર, 7 જુલાઈ 2017 (12:43 IST)
ગુજરાતમાં સામાજિક આંદોલનો ફરી વકરી રહ્યાં છે. ત્યારે ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોરે સમગ્ર રાજ્યમાં ગુજરાતના ખેડૂતોના દેવા માફી માટે હાંકલ કરી છે. ત્યારે  સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાઓ હેઠળ માત્ર રાહતની વાતો કરાઇ છે. પરંતુ તેના લાભો ખેડૂતો સુધી પહોંચતા નથી. જેથી ખેડૂતો પાયમાલ થઇ રહ્યા છે. અન્ય રાજ્યોની સરકારે ખેડૂતોના દેવા માફ કર્યા છે. ત્યારે ગુજરાત સરકાર પણ દેવા માફ કરે તેવી માંગ સાથે ઠાકોર સેનાએ છેલ્લા બે દિવસથી દૂધ બંધીનું એલાન આપ્યું હતું.

તેના ભાગરૂપે આણંદ જિલ્લા ઠાકોર સેના દ્વારા બધુવાર રાત્રે અમૂલ ડેરીના મુખ્ય ગેટ પાસે ધરણાં કરીને સૂત્રોચ્ચાર સરકાર વિરુદ્ધ કર્યા હતા. આખરે પોલીસે 350 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. અને સવારે મુક્ત કરી દીધા હતા. ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર દ્વારા ખેડૂતોના બેંકના દેવાઓ માફ કરવાની માંગ સાથે બે દિવસથી સમગ્ર રાજ્યમાં દૂધ બંધીનું એલાન આપ્યું છે. જેના ભાગરૂપે બુધવાર રાત્રે આણંદ જિલ્લા ઠાકોર સેનાના પ્રમુખ અમીતજી ઠાકોરના નેતૃત્વ હેઠળ ઠાકોર સેનાના કાર્યકરોએ અમૂલ ડેરી પાસે ધરતાં કરી જય જવાન જય કિસાન અને ખેડૂતોના દેવા માફ કરોના સૂત્રોચ્ચાર કર્યા હતા.  પોલીસે મોડીરાત્રે ઠાકોર સેનાના પ્રમુખ અમીતજી ઠાકોર, રાજેન્દ્રસિંહ ઠાકોર, અશોકભાઈ ઠાકોર, વૈભવજી ઠાકોર સહિત આણંદ-ખેડા જિલ્લાના 350થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. અને વહેલી સવારે મુક્ત કર્યા હતા. જો કે પોલીસે અગમચેતીના ભાગરૂપે અમૂલ ડેરી પાસે સઘન બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જેના પગલે કોઇ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નથી.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતને મળી 20 નવી વોલ્વો બસ, એરક્રાફટ, સબમરીન જેવી સુવિધાઓ મળશે

રાહુલ ગાંધીને આતંકવાદી કહેવા પર હોબાળો, કોંગ્રેસીઓ રસ્તા પર ઉતરી આવ્યા

'તિરુમાલા પ્રસાદમાં જાનવરોની ચરબી', CM ચંદ્રબાબુ નાયડુના આરોપોએ ખળભળાટ મચાવ્યો

મુઝફ્ફરપુરમાં મોટી રેલ દુર્ઘટના, માલગાડીના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, ખળભળાટ

Walkie-talkies Blast - લેબનોનમાં હવે વોકી-ટોકીમાં વિસ્ફોટ, 9 નાં મોત, 300 થી વધુ લોકો ઘાયલ

આગળનો લેખ
Show comments