Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમરાઈવાડી બેઠક પર ભાજપના નેતાઓ ટિકિટ ન મળતા હવે પ્રચાર કરવાનું પણ ટાળી રહ્યા છે.

Webdunia
સોમવાર, 14 ઑક્ટોબર 2019 (12:09 IST)
ગુજરાતની રાજનીતિમાં શહેરી મતદાર પર છેલ્લા બે દશકાથી ભાજપનું એકચક્રી સાશન જોવા મળી રહ્યું છે. અમદાવાદ શહેર ભાજપના જૂથવાદના પરિણામે ભાજપના ઉમેદવાર જગદીશ પટેલે ડોર ટુ ડોટ પ્રચાર કરી રહ્યા છે. આ વચ્ચે પેટા ચૂંટણીના ઇતિહાસમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી અને રાજ્યના કેબિનેટ મંત્રીઓ જાહેર સભા ગજવી રહ્યાનું જોવા મળી રહ્યું છે. અમદાવાદની અમરાઈવાડી બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને એકલા હાથે ચૂંટણી લડવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થતું નજરે પડી રહ્યું છે. આમ તો આ બેઠક શહેરી વિસ્તારની અને તે ભાજપનો ગઢ છે. પરંતુ ચૂંટણી સમયે પ્રચાર કરવો જરૂરી હોય છે. આ બેઠક પર ઓપન કેટેગરીના મતદારો વધારે છે, તો બિનગુજરાતી મતદારોની સંખ્યા પણ વધારે છે. પરંતુ કડવા પાટીદાર કે પછી નોન ગુજરાતી ભાજપના નેતાઓ અમરાઈવાડી બેઠક પર પ્રચારથી દૂર રહેતા હોવાનું માલુમ પડ્યું છે. આ બેઠક પર ઉમેદવારના નામોની પસંદગી કરવામાં આવી છે ત્યારથી ભાજપના એકપણ સ્થાનિક નેતાઓ અહીં ફરક્યા નથી. પૂર્વ અને પશ્ચિમના સાંસદ સિવાય આ બેઠક પર કોઈ નેતાઓ પ્રચાર માટે ફરક્યા નથી. બીજી તરફ ભાજપના ઉમેદવાર જગદીશ પટેલ જણાવ્યું હતું કે ચૂંટણી પ્રચારમાં અમને પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત ભાઈના કામને ધ્યાનમાં રાખી લોકો પ્રચંડ પ્રતિસાદ આપી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે ઉમેદવારી નોંધાવતી વખતે આ બેઠક પર ચૂંટણી લડવા માટે 30 જેટલા નેતાઓએ લાઈન લગાવી હતી. જેમાં શહેર મહામંત્રી કમલેશ પટેલ, દિનેશ કુશવાહ, અમુલ ભટ્ટ અને ઋત્વિજ પટેલ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. આ નેતાઓ હાલ અમરાઈવાડી બેઠકમાં પ્રચાર માટે ન જતા હોવાનું સામે આવ્યું છે. આ નેતાઓ સ્થાનિક હોવા છતાં અન્ય બેઠક પર પ્રચાર કરી રહ્યા છે. અહીં એ પણ નોંધવું રહ્યું કે આ બેઠક સુરક્ષિત હોવાથી અહીંથી તમામ નેતાઓને ચૂંટણી લડવાના અભરખા હતા, પરંતુ ટિકિટ ન મળતા હવે પ્રચાર કરવાનું પણ ટાળી રહ્યા છે. આ વાતને લઈને ભાજપમાં એક ચર્ચા એવી પણ છે કે હાલ પક્ષમાં જૂથવાદ ચરમસીમાં પર છે. જગદીશ પટેલ આનંદીબેન જૂથના હોવાથી પહેલાથી જ કેટલાક નેતાઓ નારાજ છે. જગદીશ પટેલ જણાવ્યું હતું કે, "મારી સાથે ઉભેલા તમામ લોકો સ્થાનિક છે. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments