Webdunia - Bharat's app for daily news and videos

Install App

અનામત આંદોલન મુદ્દે અલ્પેશ ઠાકોરનું સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ

Webdunia
શનિવાર, 15 ફેબ્રુઆરી 2020 (14:32 IST)
LRD ભરતીને કારણે અનામત પરિપત્ર મુદ્દે શરૂ થયેલા વિવાદ હજુ પણ શમવાનું નામ લેતો નથી. બિન અનામત વર્ગની માંગણીઓ મામલે ગઈકાલે આગેવાનો અને સરકાર વચ્ચે બેઠક યોજાઈ હતી. આગેવાનોની સરકાર સાથે બે કલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી હતી. તેમાં આજે ગૃહમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવામાં આવી હતી.

આ મામલે આજે પણ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચે બેઠક યોજાઈ રહી છે. આ બેઠક બાદ તેઓ મુખ્યમંત્રીને મળવા માટે પહોંચ્યા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી વચ્ચે બે કલાક બેઠક ચાલી હતી. આ મામલે મુખ્યમંત્રી સાંજ સુધીમાં નિર્ણય લે એવી શક્યતા છે.

આ મામલે ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે સરકારને 48 કલાકનું અલ્ટીમેટ આપતા જણાવ્યું હતું કે, પરિપત્ર અંગે સરકાર ઝડપથી નિર્ણય લે. 1/8/2018નો ઠરાવ ગેરબંધારણીય છે. જો સરકાર 48 કલાકમાં નિર્ણય નહીં લે તો પદયાત્રા કરીશ.
તેમજ અલ્પેશ ઠાકોર અને સાંસદ ભરતસિંહ ડાભી મુખ્યમંત્રીને મળવા પણ પહોંચ્યા છે. આજે પણ બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારો અને અનામત વર્ગની મહિલાઓનું આંદોલન ચાલી રહ્યું છે. તેમાં પણ અનામત વર્ગની મહિલા ઉમેદવારો 67 દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન ચલાવી રહી છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments