Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસ સાથે દગો કરનાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહના બાવાના બેઉ બગડ્યા

Webdunia
સોમવાર, 8 જુલાઈ 2019 (11:52 IST)
દગાખોર અને બિનભરોસાપાત્રનું લેબલ ધરાવતો અલ્પેશ ઠાકોર ભાજપ માટેય હવે બોજારૂપ બની ગયો છે. એને ભાજપ સરકારમાં મંત્રીપદ મળવાની આશા હવે ધુંધળી બની ગઇ છે. શુક્રવારે અલ્પેશે ધારાસભ્ય પદે રાજીનામું આપ્યું તે પછી જવાહર ચાવડા અને કુંવરજી બાવળિયાની જેમ ભાજપમાં કેમ તરત જ ભેળવવામાં આવતો નથી એ અંગે જણાવતા સૂત્રો કહે છે કે અલ્પેશની પરપ્રાંતિય વિરોધી છાપ ભાજપના પ્રાથમિક સદસ્યતા અભિયાનને નડી શકે છે. તેથી વિધાનસભાનું ચાલુ સત્ર પૂરું થાય ત્યાં સુધી તેને ભાજપમાં લેવામાં આવશે નહીં.
ઠાકોર સમાજમાં અલ્પેશને કટ-ટુ-સાઇઝ કરવાની ભાજપની વ્યૂહરચનાના ભાગરૂપે જ રાજ્યસભામાં જુગલ ઠાકોરને પ્રમોટ કરાયા છે. રાજ્યમાંથી પરપ્રાંતીયોને ખદેડવાના અલ્પેશના આંદોલન પછી એને પાર્ટીમાં લેવાથી બિહાર- યુ.પી.માં ખોટા સંકેત જશે તેવો પણ એક મત છે.
જ્યારે બીજો મત એવો છે કે લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ ભાજપ માટે હવે સ્થિતિ બદલાઈ હોઇ અત્યારે એને લઈને બીજાની માફક તરત મંત્રીપદ સોંપવું પડે એવી કોઈ આવશ્યક્તા નથી. ભાજપના કાર્યકરોમાં અને ઠાકોર સમાજમાં અલ્પેશને ભાજપમાં જોડવા સામે વાંધો હોવાનું જણાવાઇ રહ્યું છે.
બાયડ વિધાનસભા ક્ષેત્ર કોંગ્રેસનો ગઢ હોવાથી જ કોંગ્રેસ છોડનારા મહેન્દ્રસિંહ વાઘેલા બાયડમાંથી ફરી ચૂંટણી લડવાની હિંમત કરી શક્યા ન હતા, એવી જ રીતે હમણાં કોંગ્રેસ છોડનારો અલ્પેશનો સાથી ધવલ ઝાલા પણ ફરી બાયડમાંથી ચૂંટાઈ શકે એવી હાલતમાં ના હોઈ ભાજપ પેટાચૂંટણીમાં ટિકિટ આપવાનો નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments