Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રીને વરસાદનું ગ્રહણ: અમદાવાદના બે જાણિતી ક્લબે કેન્સલ કર્યા ગરબા

Webdunia
શનિવાર, 28 સપ્ટેમ્બર 2019 (15:09 IST)
વરસાદની અસર હવે નવરાત્રીમાં પણ દેખાવા લાગી છે. ટીવી રિપોર્ટ્સ અનુસાર, અમદાવાદના કર્ણાવતી અને રાજપથ ક્લબે હાલની સ્થતિને ધ્યાનમાં લઈ પહેલા બે દિવસના ગરબા રદ્દ કરી દીધા છે. વડોદરામાં પણ કેટલીક જગ્યાએ ગરબા રદ્દ થયાના અહેવાલ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કારેલીબાગના અંબાલાલ પાર્કના ગરબા પહેલા નોરતાના ગરબા રદ્દ કરાયા છે.કેટલાક ગરબા આયોજકોએ એડવાન્સ બુકિંગને બદલે જે-તે દિવસે ગરબા શરુ થાય પછી જ પાસ વેચવાનું નક્કી કર્યું છે.

અમદાવાદમાં હાલ પણ કાળાડિબાંગ વાદળો વચ્ચે વરસાદી ઝાપટાં પડી રહ્યા છે, ત્યારે એડવાન્સ બુકિંગનું જોખમ લેવા માગતા નથી. આમ પણ હવામાન ખાતાએ પહેલા ત્રણ નોરતા સુધી વરસાદ પડશે તેવી આગાહી કરી છે, ત્યારે આટલો સમય નીકળી ગયા બાદ જ ગરબા આયોજકો આગળની સ્ટ્રેટેજી નક્કી કરશે નવરાત્રીને આ વખતે ટ્રાફિકના નવા અને કડક નિયમો અને વરસાદનું બેવડું ગ્રહણ લાગ્યું છે. પાર્કિંગ તેમજ અન્ય નિયમોને કારણે ઘણા ગરબા આયોજકોને પરમિશન મળી જ નથી, ક્લબો પણ માત્ર મેમ્બર્સ પૂરતા ગરબા રાખી રહ્યા છે ત્યારે વરસાદે રહી-સહી કસર પણ પૂરી કરી દેતાં ગરબા આયોજકોને આ વખતે મોટું નુક્સાન વેઠવાનું આવે તેવી શક્યતા છે  આમ તો શરુઆતના બે-ત્રણ દિવસ બાદ જ નવરાત્રીની ખરી જમાવટ થતી હોય છે. જોકે, ત્રીજા નોતરે પણ જો વધારે વરસાદ થાય ને ગ્રાઉન્ડ પર પાણી ભરાયેલા રહે તો તેના પછીના બે દિવસ પણ સ્થિતિ કફોડી બની શકે તેમ છે. આ વખતે રેઈનકોટ ચણિયાચોરી ખાસ્સી ચર્ચામાં આવી હતી, પરંતુ વરસાદના તેવર જોતાં તે કશાય કામમાં નહીં આવે તેવું લાગી રહ્યું છે.           

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments