Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદના રિવરફ્રન્ટમાં પ્રેમીપંખીડા પર ૩૬૦ ડિગ્રીના કૅમેરાની વોચ

Webdunia
સોમવાર, 15 જુલાઈ 2019 (13:43 IST)
શહેરના ૨૨ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલા રિવરફ્રન્ટ પર છેડતીના કિસ્સા વધી રહ્યા છે અને તેના પુરાવા તથા યુવતીઓને મદદ મળી રહે તે માટે સમગ્ર રિવરફ્રન્ટ પર ૩૬૦ ડિગ્રી કેમેરા ગોઠવવામાં આવશે. કૅમેરાની બાજ નજર પર પોલીસ વોચ રાખશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રિવરફ્રન્ટ હાલ યુગલો માટે એક ફેવરિટ સ્થળ બની ગયુ છે. તેવામાં આ રિવરફ્રન્ટને ૩૬૦ ડિગ્રી સુધી કવર કરવા માટે સીસીટીવીની હારમાળા લગાવવાનો નિર્ણય કરાયો છે અને આગામી આઠેક મહિનામાં ૧૬ કરોડના ખર્ચે તમામ વ્યવસ્થા કરી દેવામાં આવશે.

૨૪ બાય ૭ રિવરફ્રન્ટ પર પોલીસકર્મીઓ કોબાન હટમાં બેસી તમામ રિવરફ્રન્ટ વિસ્તારનું ઓબ્ઝર્વેશન કરશે. છેડતી અને અશ્ર્લિલ હરકતો ન બને તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આમ તો રિવરફ્રન્ટ પ્રેમી પંખીડા માટે રોમાન્સનુ સ્થળ બની ગયો હતો, પરંતુ ૨૪ કલાક સીસીટીવીની વોચ રહેવાથી સમગ્ર રિવરફ્રન્ટ પર આઇપીસી ૨૯૪ હેઠળ હગ અને કીસ કરી શકાશે. જોકે અન્ય કોઇ અશ્ર્લીલ હરકત કરવામાં આવશે તો તેમના પર કાયદેસર કાર્યવાહી કરાશે અને સીસીટીવી હોવાથી તેના પુરાવા પણ મળી રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments