Dharma Sangrah

ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા - આ વર્ષે સાદગીપૂર્ણ રહેશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ?

Webdunia
ગુરુવાર, 26 જૂન 2025 (13:48 IST)
રાજ્યની સૌથી મોટી અને દેશની બીજા નંબરની જગન્નાથજીની રથયાત્રા 27મી જૂને યોજાશે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓ અને આખરી ઓપ અપાય ગયો છે. આમ તો આ રથયાત્રામાં દર વર્ષે ખૂબ ધામધૂમથી ઉજવાય છે. પરંતુ આ વખતે અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટનાએ સૌને ચિંતામાં નાખી દીધા છે.  હજુ અનેક લોકોના DNA સેમ્પલ મેચ થવાના બાકી છે. આ દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત નિપજ્યાં હતા. તેથી હવે ભગવાન જગન્નાથની રથયાત્રા પણ સાદગીપૂર્ણ રીતે કાઢવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
 
આવતીકાલે 27 જૂને ભગવાન જગન્નાથની આગામી 148મી વાર્ષિક રથયાત્રા નીકળવાની છે. રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે.   148મી રથયાત્રા સાદગીપૂર્ણ રીતે કાઢવામાં આવી શકે છે. માત્ર ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલભદ્રના રથ તથા પ્રસાદની ટ્રક સાથે નીકળે એવી શક્યતા છે. રાજ્ય સરકાર અને જમાલપુર જગન્નાથ મંદિરના મહંત તેમજ ટ્રસ્ટીની સાથે બેઠક કર્યા બાદ આ મામલે નિર્ણય લેવામાં આવી શકે છે.
 
મહંત દિલીપદાસજી મહારાજે કહ્યું : આ અંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે રૂબરૂ વાત કરતા જણાવ્યું હતું કે, હાલ રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. સાદગી પૂર્ણ રીતે રથયાત્રાના આયોજન અંગે રાજ્ય સરકાર અને ઉચ્ચ અધિકારીઓ સાથે હજુ બેઠક યોજવામાં આવી નથી. ટૂંક સમયમાં રથયાત્રાને લઈને રાજ્ય સરકાર સાથે બેઠક યોજ્યા બાદ રથયાત્રા કેવી રીતે યોજવી તે અંગે નિર્ણય લેવામાં આવશે. હાલમાં દર વર્ષે જે રીતે પરંપરા મુજબ રથયાત્રા નીકળે છે. તે પ્રમાણે તૈયારીઓ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, બે દિવસ પછી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવે એ બાદ મીડિયાને જાણ કરવામાં આવશે.

<

Ahead of tomorrow’s Rath Yatra, Ahmedabad Traffic Police has declared No Parking Zones for June 26–27 along the procession route. A detailed public notice and video map have been released to guide commuters and ease congestion. pic.twitter.com/cj8YCSx2In

— Our Ahmedabad (@Ourahmedabad1) June 26, 2025 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Swastik in bridal suitcase - દુલ્હન સાસરે સૂટકેસમાં તેના કપડાં મૂકતા પહેલા શા માટે સ્વસ્તિક બનાવે છે?

કોર્ન સાગ રેસીપી

શું તમે ક્યારેય સફેદ મરી ખાધી છે? ઔષધીય ગુણોથી ભરપૂર, સફેદ મરી સ્વાસ્થ્ય માટે છે વરદાન

Modern Ganesha Names For Baby Boy: તમારા બાળકને ગણેશજીના નામ પરથી સુંદર નામ આપો, બાપ્પા જીવનભર તેમના આશીર્વાદ વરસાવશે!

First Wedding Invitation: પહેલું લગ્ન કાર્ડ ભગવાન ગણપતિને જ્ કેમ આપવામાં આવે છે અને તેનું શું મહત્વ છે?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - કેમ નથી કહેતા

Sonam Kapoor Second Pregnancy નુ કર્યુ એલાન, ખુશીથી ઝૂમી ઉઠ્યા પતિ આનંદ આહુજાનુ રિએક્શન થયુ વાયરલ

અમદાવાદમાં આગામી 5મી ડિસેમ્બરે યોજાશે Ruhaniyat, કલાકારોની કલા દર્શકોને કરશે અભિભૂત

ગુજરાતી જોક્સ -પૈસા નથી”

HBD Sushmita - જ્યારે મિસ યુનિવર્સને 21 ની વયે કોર્ટના ધક્કા ખાવા પડ્યા, પિતાની મિલકતને કારણે મળ્યો ન્યાય

આગળનો લેખ
Show comments