Webdunia - Bharat's app for daily news and videos

Install App

માતાપિતાએ ગુટખા ખાવાની ના પાડતા સગીર દીકરી ઘર છોડીને ભાગી

Webdunia
બુધવાર, 17 જુલાઈ 2019 (12:24 IST)
(સાંકેતિક ફોટા)
અમદાવાદનાં અમરાઇવાડીનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પિતાએ ગુટખા ખાવાની ના પાડતા 15 વર્ષની દીકરી ઘર છોડીને જતી રહી હતી. આ મામલે અમરાઇવાડી પોલીસે તપાસની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે અમરાઈવાડીની સૌરાષ્ટ્ર પટેલ સોસાયટીમાં રહેતી 15 વર્ષની સગીરાને ગુટખા અને મસાલો ખાવાની આદત પડી ગઇ હતી. સગીરા તેના માતા-પિતા અને બે બહેન સાથે રહે છે.  સગીરાએ ગત માર્ચમાં ધો. 10ની પરીક્ષા આપી હતી. જેમાં તે નાપાસ થઈ હતી.થોડા દિવસ પહેલા સગીરાની માતાને ખબર પડી હતી કે દીકરી ગુટખા અને સોપારીવાળો મસાલો ખાય છે. ત્યારે જ તેણે દીકરીને ન ખાવા કહ્યું હતું. પરંતુ તે માની ન હતી. જેથી તેમણે સગીરાના પિતાને આ વાતની જાણ કરી હતી. પિતાએ પુત્રીને ઠપકો આપી આવું ન કરવા સમજાવ્યું હતું.માતાપિતાએ સમજાવતા પણ સગીરાએ તેની આ કુટેવ છોડી ન હતી. ચાર દિવસ પહેલા ઘરમાં જ પિતાએ ફરી દીકરીને મસાલો અને ગુટખા ખાતા જોઇ ગયા હતા. જેથી પિતાએ તેને ખખડાવી હતી. જે બાદ બપોરે તે અચાનક ઘરેથી ગાયબ થઇ ગઇ હતી. સાંજ સુધી ઘરે ન આવતા માતાપિતાએ આસપાસ અને સગાસંબંધીને ત્યાં દીકરીની શોધખોળ કરી હતી. પરંતુ તે ક્યાંય મળી ન હતી. જેથી તેમણે આ અંગેની ફરિયાદ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments