Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ એરપોર્ટમાં મુસાફરોની સંખ્યામાં 27.1%નો વધારો

Webdunia
શુક્રવાર, 3 ઑગસ્ટ 2018 (12:30 IST)
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ફ્લાઇટની આવાગમન એ મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જૂન ૨૦૧૮માં અમદાવાદ એરપોર્ટમાંથી ૬,૯૯,૩૬૦ ડોમેસ્ટિક મુસાફરો નોંધાયા હતા. આમ, જૂન ૨૦૧૭ કરતા જૂન ૨૦૧૮માં ડોમેસ્ટિક મુસાફરોની સંખ્યામાં ૨૭.૧ ટકાનો વધારો થયો હતો. જૂન ૨૦૧૮ના આંકડા પર નજર કરતા એમ કહી શકાય કે અમદાવાદમાંથી દરરોજ સરેરાશ ૨૩૩૧૨ ડોમેસ્ટિક મુસાફરોએ આવાગમન કર્યું હતું. બીજી તરફ જૂન ૨૦૧૮માં ઇન્ટરનેશનલમાં મુસાફરોની સંખ્યા ૧,૫૫, ૬૯૨ નોંધાઇ હતી. જેની સરખામણીએ જૂન ૨૦૧૭માં ૧.૩૨ લાખ ઇન્ટરનેશનલ મુસાફરો નોંધાયા હતા. એમ કહી શકાય કે એક વર્ષમાં અમદાવાદથી ઇન્ટરનેશનલ મુસાફરોમાં ૧૪.૭ ટકાનો વધારો નોંધાયો છે. અમદાવાદ એરપોર્ટ ખાતે જૂન ૨૦૧૮માં ૧૧૧૭ ઇન્ટરનેશનલ એરક્રાફ્ટનું, ૫૨૧૦ ડોમેસ્ટિક એરક્રાફ્ટનું આવાગમન નોંધાયું છે. બીજી તરફ જૂન ૨૦૧૮માં ૧૧૧૭ ઇન્ટરનેશનલ એરક્રાફ્ટનું અમદાવાદમાં આવાગમન નોંધાયું છે. જે ગત વર્ષ કરતા ૩.૭ ટકા વધારે છે. એપ્રિલ ૨૦૧૭થી માર્ચ ૨૦૧૮માં અમદાવાદ એરપોર્ટમાં ૯૧.૭૪ લાખ મુસાફરોએ આવાગમન કર્યું હતું. દેશમાં સૌથી વધુ મુસાફરોનું આવાગમન હોય તેવા એરપોર્ટમાં અમદાવાદ આઠમા ક્રમે છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments