Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઓઢવમાં ધરાશાયી ઈમારતમાં રેસ્ક્યુ પૂર્ણ, એક વ્યક્તિનું મોત

Webdunia
સોમવાર, 27 ઑગસ્ટ 2018 (11:53 IST)
અમદાવાદના ઓઢવમાં ધરાશાયી ઈમારતમાં રેસ્ક્યુ કામગીરી પૂર્ણ થઈ છે. કાટમાળ હાલ કોઈ ફસાયેલુ નથી. ચાર માળની ઈમારતના બે બ્લોક ધરાશાયી થતાં જ પાંચ વ્યક્તિ અંદર દટાયા હતાં. જેમાંથી ચાર ઈજાગ્રસ્તને સારવાર હેઠળ ખસેડાયા હતાં. જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ગતરાતે સર્જાયેલી આ દુર્ઘટનામાં એનડીઆરએફ, એએમસી અને ફાયરબ્રિગેડની ટીમ કામગીરીમાં જોડાઈ હતી. ફાયરના આશરે 80થી વધુ જવાનો બચાવ કામગીરીમાં લાગ્યા હતા. 
ALSO READ: અમદાવાદના ઓઢવમાં ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી, 4 લોકોને બચાવાયા, 5 દબાયા હોવાની આશકા
ઘટનાની જાણ થતા ડીસીપી, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા, મેયર બિજલબેન પટેલ, વિપક્ષ નેતા દિનેશ શર્મા, ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સહિતના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જાણવા મળ્યું છે કે કોર્પોરેશને આ બિલ્ડિંગ જર્જરિત હોવાથી બે દિવસ પહેલા જ નોટીસ આપી હતી અને પોલીસ સાથે જઈને બિલ્ડિંગ ખાલી કરાવ્યું હતું.પરંતુ વરસાદ હોવાથી કેટલાક પરિવાર ફરીથી રહેવા ચાલ્યા ગયા હતા. કમિશનરનું કહેવું છે કે અમુક લોકો જાણ કર્યા વિના ફરીથી રહેવા ચાલ્યા ગયા હતા. જેથી ઈમારત ધરાશાયી થતા તેઓ દટાયા હતા. જાણવા મળ્યું છે કે આ બિલ્ડિંગ 1999માં બનાવવામાં આવી હતી.
ફાયરના આશરે 80થી વધુ જવાનો બચાવ કામગીરીમાં લાગ્યા હતા. ઘટનાની જાણ થતા  ડીસીપી, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા, મેયર બિજલબેન પટેલ, વિપક્ષ નેતા દિનેશ શર્મા, ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સહિતના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.જાણવા મળ્યું છે કે કોર્પોરેશને આ બિલ્ડિંગ જર્જરિત હોવાથી બે દિવસ પહેલા જ નોટીસ આપી હતી અને પોલીસ સાથે જઈને બિલ્ડિંગ ખાલી કરાવ્યું હતું. પરંતુ વરસાદ હોવાથી કેટલાક પરિવાર ફરીથી રહેવા ચાલ્યા ગયા હતા. કમિશનરનું કહેવું છે કે અમુક લોકો જાણ કર્યા વિના ફરીથી રહેવા ચાલ્યા ગયા હતા. જેથી ઈમારત ધરાશાયી થતા તેઓ દટાયા હતા. જાણવા મળ્યું છે કે આ બિલ્ડિંગ 1999માં બનાવવામાં આવી હતી.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments