Webdunia - Bharat's app for daily news and videos

Install App

નોટબંધી બાદ ગુજરાતમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણનું ચલણ વધ્યું હોવાની ચર્ચાઓ

Webdunia
બુધવાર, 4 એપ્રિલ 2018 (11:33 IST)
ક્રિપ્ટોકરન્સી પર સરકારનો કંટ્રોલ નથી હોતો અને દુનિયાભરમાં તેનો ઉપયોગ ગમે ત્યાં થઈ શકે છે. નોટબંધી પછી રોકાણકરો મોટા પ્રમાણમાં ક્રિપ્ટોકરન્સી તરફ આકર્ષિત થયા છે.  નિષ્ણાંતો જણાવે છે કે, ગુજરાતમાં લગભગ અઢી હજાર કરોડ રુપિયા કરતાં વધુ રોકાણ ક્રિપ્ટોકરન્સીમાં થયું છે. ગત બે-ત્રણ વર્ષમાં અમદાવાદ અને સુરતની અનેક કંપનીઓ ICOsમાં શામેલ થઈ છે. આ પ્રાઈવેટ એક્ષચેન્જીસ રોકાણકારોને ક્રિપ્ટોકરન્સી ઓફર કરે છે. ઈન્ડસ્ટ્રીના એક્સપર્ટના જણાવ્યા અનુસાર, ઘણાં લોકો આ પ્રાઈવેટ એક્ષચેન્જને કારણે છેતરાયા પણ છે. આ વિષયના એક નિષ્ણાંત જણાવે છે કે, રોકાણકારોને પ્રતિદિવસ 10 ટકા જેવા ઉંચા વ્યાજના દરે 180 દિવસ માટે પૈસા રોકવાની ઓફર કરવામાં આવે છે.

180 દિવસના અંતે રોકાણકાર પાસે બે ડિજીટલ વોલેટ્સ હશે, એકમાં મુદ્દલ રકમ અને બીજા વોલેટમાં વ્યાજની રકમ. રોકાણકાર જોઈ શકે છે કે તેણે રોકેલા પૈસાની કિંમત વધી રહી છે, પરંતુ તે વર્ચ્યુઅલ હોય છે. 6 મહિના સમાપ્ત થાય તે પહેલા ઓપરેટર બિઝનેસ સંકેલીને પૈસા સાથે ફરાર થઈ જાય છે. આવા અમુક કેસ નોંધાયા છે. નિષ્ણાંતોનું માનવું છે કે ક્રિપ્ટોકરન્સી પર ભારત સરકારના વલણને કારણે નવી એન્ટ્રી સ્લો થઈ ગઈ છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments