Webdunia - Bharat's app for daily news and videos

Install App

રૂદ્રપ્રયાગમાં ભૂસ્ખલન બાદ ભેખડો ઢસડીને કાર પર પડી, કેદારનાથ જઈ રહેલા 4 ગુજરાતીઓના મોત

Webdunia
શનિવાર, 12 ઑગસ્ટ 2023 (13:50 IST)
Rudraprayag, landslide
ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં ભૂસ્ખલન બાદ ભેખડો ઢસડીને કાર પર પડતા કાર નીચે દબાઈ ગઈ હતી, જેમાં 4 ગુજરાતી હોવાનું જાણવા મળ્યું છે. તમામના મૃતદેહ મળી આવ્યા છે. હરિદ્વારથી કેદારનાથ વચ્ચે રસ્તા વચ્ચે રુદ્રપ્રયાગ જિલ્લામાં ભૂસ્ખલન થતાં કાર દટાયાનું જાણવા મળ્યું છે. કારમાં સવાર 4 શ્રદ્ધાળુ ગુજરાતી હતા, જેમાં 3 અમદાવાદ અને એક મહેમદાબાદનો રહેવાસી હતો. પોલીસે અકસ્માત વિશે જણાવ્યું કે ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લાના ચોકી ફાટા હેઠળ તરસાલી ખાતે ભૂસ્ખલનના કાટમાળ નીચે કાર દબાઈ જતાં પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વાહનમાં બેઠેલા શ્રદ્ધાળુઓ ગુરુવારે સાંજે કેદારનાથ જઈ રહ્યા હતા ત્યારે ભૂસ્ખલન થયું અને કાટમાળ વાહન પર પડ્યો.  

<

Uttarakhand | Today, while opening the road, a vehicle was found in a very badly damaged condition inside the debris and the bodies of 5 people, travelling in it, have also been recovered: Rudraprayag Police

(Pic Source: Twitter handle of Rudraprayag Police) pic.twitter.com/5neEUt022g

— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 12, 2023 >
 
હાઇવેનો 60 મીટરનો હિસ્સો ધરાશાયી થયો હતો
 
અધિકારીઓએ જણાવ્યું હતું કે, "તરસાલીમાં પહાડીમાંથી પથ્થરો સાથે પડતા ભારે કાટમાળને કારણે કેદારનાથ-ગયા હાઈવેનો 60 મીટરનો ભાગ તૂટી પડ્યો હતો. આ દરમિયાન અહીં એક વાહન કાટમાળ નીચે દટાઈ ગયું હતું. એક વાહન કાટમાળમાં દટાયેલું જોવા મળ્યું હતું. શુક્રવારે, જેમાંથી પાંચ મૃતદેહો મળી આવ્યા હતા. મૃતકોમાં 4 ગુજરાતનાં હતા.  અધિકારીઓએ એ પણ માહિતી આપી કે આ ઘટનાને કારણે શુક્રવારે કેદારનાથ ધામ તરફ જતા ગુપ્તકાશી-ગૌરીકુંડ હાઈવે પરનો વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. તેમણે કહ્યું કે લગભગ 60 મીટર રોડ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે અને ધોવાઈ ગયો છે.
 
દુર્ઘટનાની માહિતી મળતાંની સાથે જ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ધોધમાર વરસાદના કારણે કામમાં અવરોધ ઊભો થયો હતો. શુક્રવારે જ્યારે હવામાન ચોખ્ખું થઈ ગયું ત્યારે પાંચ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઉપરાંત અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે મૃતકોની યાદીમાં ગુજરાતના જિગર આર. મોદી, મહેશ દેસાઈ, દિવ્યેશ પારેખ, મનીષકુમારનાં નામ છે. આ સાથે હરિદ્વારના મિન્ટુ કુમારનું પણ મોત થયું છે.
 
પોસ્ટમોર્ટમ બાદ તમામના મૃતદેહ ગુજરાત લવાશે
ઈસનપુર વોર્ડના કોર્પોરેટર અને રોડ એન્ડ બિલ્ડિંગ ડેપ્યુટી કમિટીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થવાથી ઈસનપુર વોર્ડમાં ઘોડાસર વિસ્તારમાં આવેલી ન્યૂ આરતી સોસાયટીના 3 રહેવાસી અને એક મહેમદાવાદના યુવકનું મૃત્યુ થયું છે. ધારાસભ્ય અમૂલ ભટ્ટ દ્વારા સરકાર સાથે સંકલનમાં રહીને પોસ્ટમોર્ટમ બાદ તમામના મૃતદેહ ઝડપથી અમદાવાદ લાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

April Pradosh Vrat 2025 Bhog: એપ્રિલ મહિનામાં પ્રદોષ વ્રતના બીજા દિવસે ભગવાન શિવને ચઢાવો આ વસ્તુઓ, રહેશે ભોલેનાથની કૃપા

Kitchen Hack: તેલમાં માત્ર એક ચપટી મીઠું નાખો આ માત્ર ગંદકી જ નહીં પરંતુ અન્ય ઘણી સમસ્યાઓનો ઉકેલ છે

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

Health Tips: કેલ્શિયમની કમી હાડકાને બનાવી દેશે ખોખલા, આજથી જ શરૂ કરી દો આ ઉપાય

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments