Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ સહિત રાજ્યના 8 જિલ્લામાં હજુ 40થી 47% વરસાદની ઘટ, ત્રણથી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદી ઝાપટા થઈ શકે

Webdunia
સોમવાર, 20 સપ્ટેમ્બર 2021 (07:58 IST)
સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી સક્રિય થયેલાં ચોમાસાને કારણે રાજ્યમાં 81 ટકા વરસાદ પડ્યો છે. મહત્ત્વની વાત એ છે કે, સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં રાજ્યમાં 50 ટકા વરસાદની ઘટ હતી, પણ સપ્ટેમ્બર મહિના પડેલા વરસાદને કારણે વરસાદની ઘટ 19 ટકા રહી છે. જયારે રાજ્યના 8 જિલ્લામાં 40 ટકાથી વધુ વરસાદની ઘટ છે. તેમજ હાલમાં પુર્વીય રાજસ્થાન અને પશ્ચિમી મધ્યપ્રદેશ વિસ્તારમાં લૉ-પ્રેશર સક્રિય થવાની સાથે મોન્સુન ટ્રફની અસરોથી આગામી 3 દિવસો દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી હ‌ળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.અમદાવાદમાં 1 જૂનથી અત્યાર સુધીમાં કુલ 655.7 મીમી વરસાદની સામે 375.4 મીમી જ વરસાદ પડ્યો હોવાથી હજુ પણ અમદાવાદમાં સામાન્ય કરતાં 43 ટકા ઓછો વરસાદ પડ્યો છે. આગામી બેથી ત્રણ દિવસો દરમિયાન શહેરમાં વરસાદી ઝાપટાથી હળવો વરસાદ પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બીજી તરફ 1 જૂનથી 19 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં 658.1 મી.મી.ની સામે 534.6 મી.મી. વરસાદ પડતાં રાજ્યમાં અત્યાર સુધીમાં 81 ટકા વરસાદ થયો છે જ્યારે 19 ટકા વરસાદની ઘટ છે. આગામી ત્રણથી ચાર દિવસમાં રાજ્યના ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે. આથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદથી ઘટ ઓછી થવાની શક્યતા છે. રાજ્યના 8 જિલ્લામાં 40 ટકાથી વધુ વરસાદની ઘટ છે, જેમાં સૌથી વધુ 47 ટકા ઘટ દાહોદમાં છે. જયારે 8 જિલ્લામાં 5થી 45 ટકા વધુ વરસાદ પડ્યો છે, સૌથી વધુ 45 ટકા વધુ વરસાદ દેવભૂમિ દ્વારકામાં પડ્યો છે. અમદાવાદમાં રવિવારે વહેલી સવારથી વાદળિયા વાતાવરણ સાથે વરસાદી માહોલ છવાયો હતો તેમ જ રોજની જેમ વરસાદ હાથતાળી આપશે તેમ લોકો માની રહ્યા હતા, પરંતુ બપોરના 12.00 વાગ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યા બાદ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડયાં હતા, જેને કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3.8 ડિગ્રી ગગડીને 30.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26.0 ડિગ્રી નોંધાયું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments