Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત યુનિવર્સિટીમાં 5 દિવસ વર્ક ફ્રોમ હોમ બાદ 50 ટકા કર્મચારીઓની કેપેસિટી સાથે આજથી ફરી કામગીરી શરૂ

Webdunia
ગુરુવાર, 15 એપ્રિલ 2021 (13:41 IST)
ગુજરાત યુનિવર્સિટીમાં પણ કોરોનાનો પગ પસેરી થયો હતો. જેમાં ઉપકુલપતિ સહિત 6 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેથી યુનિવર્સિટીમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જેને કારણે 5 દિવસ સુધી યુનિવર્સિટીની કામગીરી ઓફલાઈન બંધ કરવામાં આવી હતી અને વર્ક ફ્રોમ હોમનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આજથી યુનિવર્સિટીમાં 50 ટકાની કેપેસિટી સાથે કામગીરી શરૂ કરવામાં આવી છે.

ગત 9 એપ્રિલથી ગુજરાત યુનિવર્સિટીના તમામ કર્મચારીઓને કોરોનાને કારણે વર્ક ફ્રોમ ગોમનો આદેશ આપવામાં આવ્યો હતો. 5 દિવસ સુધી વર્ક ફ્રોમ હોમનો સમય પૂર્ણ થયા બાદ આજથી ગુજરાત યુનિવર્સિટીમાં કોરોનાને કારણે 50 ટકા સ્ટાફ સાથે જ કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉપરાંત યુનિવર્સિટીમાં ઓડ ઈવન પદ્ધતિથી કામ કરવામાં આવશે. કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે.ગુજરાત યુનિવર્સિટીમાં પણ કોરોનાએ એન્ટ્રી લીધી હતી. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ જગદીશ ભાવસાર કોરોનાથી સંક્રમિત થયા હતા. સાથે જ લાયબ્રેરિયન યોગેશ પરીખ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ઉપરાંત અન્ય 4 કર્મીઓ પણ કોરોનાથી સંક્રમિત થયા છે.અઠવાડિયા અગાઉ ભાષા ભવનના કર્મચારીનું કોરોનાને કારણે મોત થયું હતું. જેથી યુનિવર્સિટીમાં પણ કોરોનાને કારણે ડર ફેલાયો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં પણ કોરોનાએ એન્ટ્રી લીધી હતી. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ જગદીશ ભાવસાર કોરોનાથી સંક્રમિત થયા હતા. સાથે જ લાયબ્રેરિયન યોગેશ પરીખ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ઉપરાંત અન્ય 4 કર્મીઓ પણ કોરોનાથી સંક્રમિત થયા છે.અઠવાડિયા અગાઉ ભાષા ભવનના કર્મચારીનું કોરોનાને કારણે મોત થયું હતું. જેથી યુનિવર્સિટીમાં પણ કોરોનાને કારણે ડર ફેલાયો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગાંઘીનગરમાં મોટી દુર્ઘટના, મેશ્વા નદીમાં ડૂબવાથી 8 લોકોના મોત

મધ્યરાત્રિએ નર્સિંગ હોમમાં બોલાવવામાં આવ્યો, જ્યારે નર્સે ડૉક્ટરનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો ત્યારે ગેંગરેપ થવાની હતી.

હું માફી માંગુ છું, રાજીનામું આપવા તૈયાર... મમતા બેનર્જીએ ડોક્ટરોના વિરોધ પર કરી આ ઓફર

કોલકત્તા પછી હૈદરાબાદમાં મહિલા ડાક્ટરથી ગેરવર્તન મારપીટ CCTV ફુટેજ વાયરલ

લાશો સાથે બળાત્કાર, હાડપિંજર સાથે સોદો! કોલકત્તાના આરજી કર હોસ્પીટલની ડરામણી સત્યતા

આગળનો લેખ
Show comments