Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાપુર હોનારતને થયા 38 વર્ષ, વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ પણ લીધી હતી મુલાકાત

Webdunia
મંગળવાર, 22 જૂન 2021 (12:38 IST)
આજે શાપુર હોનારતને આજે 38 વર્ષ પુરા થયા છે. 22મી જુન 1983ના દિવસે શાપુરમાં 24 કલાક દરમિયાન 70 ઇંચ કરતા વધુ વરસાદ પડતાં ઓજત નદીમાં આવેલા ભયાનક પૂરે શાપુરને ખેદાન મેદાન કરી નાખ્યું હતુ. હજારો પશુઓની સાથે અનેક માનવ જિંદગી પૂરમાં તબાહ થતી જોવા મળી હતી. 1983ની 22મી જૂનના દિવસે શાપુરમાં પડેલા ભારે વરસાદને કારણે સમગ્ર શાપુર ગામ જાણે કે નદીનો ધસમસતો પ્રવાહ બની ગયો હોય તેવા દ્રશ્યોનું વર્ણન જે તે સમયે શાપુર હોનારતને નજરે જોનારા લોકોએ પોતાની મનોવ્યથા વ્યક્તિ કરી હતી. 24 કલાકમાં પડેલા ભારે વરસાદે શાપુરના મોટા ભાગના ઘરો જળમગ્ન બની ગયેલા જોવા મળતા હતા. લોકો પોતાનો જીવ બચાવવા ખુબજ સંઘર્ષ કરતા હતા, પરંતુ કાચા અને નળિયાવાળા મકાનો હોવાને કારણે ધસમસતા પાણીના પ્રવાહમાં શાપર વાસીઓનો જીવ પાણી પર તરતો જોવા મળતો હતો. હજારોની સંખ્યામાં પશુધન પૂરમાં તબાહ થયું હતું. અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો. આજે આ વસમી તારીખને 38 વર્ષ થયા.
 
 શાપુર હોનારતની ભયાનકતને ધ્યાને લઈને જે તે સમયના ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પણ તાકીદે શાપુરની મુલાકાત કરી હતી અને રાહત તેમજ બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કરીને તાકીદે જાન અને માલનું જે નુકસાન શાપુર વાસીઓને થયું હતું તેનું વળતર ચુકવવાની જિલ્લા વહીવટીતંત્રને આદેશ પણ કર્યો હતો. ઇન્દિરા ગાંધીના શાપુર મુલાકાતને લઇને પૂર પીડિતોને ન્યાય મળવાની આશા બંધાઈ હતી અને થોડા જ સમયમાં પશુધનથી લઈને જાનમાલના નુકસાનનું વળતર આપવામાં આપ્યું હતુ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments