Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાબરમતી આશ્રમમાંથી બૌદ્ધ ભિક્ષુક દ્વારા અપાયેલી ગાંધીજીના પ્રિય ત્રણ વાંદરાની પ્રતિકૃતિ ચોરાઇ

Webdunia
સોમવાર, 6 માર્ચ 2017 (14:09 IST)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ૧૧ જીવનમંત્રો બનાવ્યા હતા અને તેમાં 'ચોરી ન કરવી'નો પણ સમાવેશ થતો હતો. પરંતુ કમનસિબી એ વાતની છે કે જીવનમંત્ર આપનારા મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમમાંથી તેઓના ખૂબ જ પ્રિય એવા ત્રણ વાંદરાઓની ચોરી થઇ ગઇ છે. ગાંધી આશ્રમમાં ચોરીની આ ઘટનાથી ગાંધીવાદીઓ ખૂબ જ આઘાતમાં છે.

ગાધીજીને બૌદ્ધ ભીક્ષુકે આપેલી ત્રણ વાંદરાઓની પ્રતિકૃતિ દાયકાઓથી ગાંધી આશ્રમમાં સચવાયેલી પડી હતી. ગાંધીજીના મેજ પર વર્ષોથી ત્રણ વાંદરાની પ્રતિકૃતિ હતી, આ કૃતિ લાકડામાં કંડારેલી હતી. ત્રણ વાંદરાઓની પ્રતિકૃતિની ચોરી થઇ હોવાની વાતને આશ્રમવાસીઓ છુપાવી રહ્યા છે. આ વાત બહાર આવે અને બદનામી થાય નહીં તેવા ભયે આશ્રમના સંચાલકો દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રતિકૃતિ ખંડિત થતાં તેના સ્થાને પ્લાસ્ટર ઓફ પેરિસની કૃતિ મૂકવામાં આવી છે. આર્કિયોલોજી ઓફ સર્વેમાં ગાંધીજીના આશ્રમના પાંચ કક્ષને ઐતિહાસિક ધરોહરમાં સ્થાન અપાયું છે. જેમાં કંઇ પણ ફેરફાર કરવો હોય તો આર્કિયોલોજી વિભાગની મંજૂરી લેવી પડે છે.

વર્ધામાં પણ ગાંધીજી જ્યાં રહેતા તેને સરકારે આરક્ષિત જાહેર કર્યું છે અને સરકારે ત્યાં સીસીટીવી પણ મૂક્યા છે. પરંતુ સાબરમતી આશ્રમમાં કે સિક્યોરિટીની પૂરતી સુવિધા નથી. કેટલાક આશ્રમવાસીઓ ત્રણ વાંદરાની ચોરી થયાની ફરિયાદ નોંધાવવા રાણીપ પોલીસ સ્ટેશનમાં પણ ગયા હતા. પરંતુ તેમની ફરિયાદ સ્વિકારવામાં આવી નહીં હોવાનો દાવો કરાયો છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments