Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુંબઈમાં ભારે વરસાદનો કહેર, મલાડમાં ઢસડી પડી ચાર માળની બિલ્ડિંગ, 11ના મોત

Webdunia
ગુરુવાર, 10 જૂન 2021 (10:17 IST)
મુંબઈમાં વરસાદે એકવાર ફરી કહેર વરસાવ્યો છે. મુંબઈના મલાડ વેસ્ટ વિસ્તારમાં ગઈ રાત્રે લગભગ 11 વાગ્યે ચાર માળની રહેવાસી બિલ્ડિંગ ઢસડી પડી, જેમા 11 લોકોના મોત થઈ ગયા અને અન્ય અનેક લોકો ઘાયલ થઈ ગયા. આ ઉપરાંત અનેક લોકો કાટમાળની નીચે દબાય ગયા જેમને બહાર કાઢવાનુ કામ ચાલુ છે. 
 
બ્રૃહન્મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)ના એકધિકારીએ જણાવ્યુ કે મલવની વિસ્તારમાં અબ્દુલ હમીદ રોડના ન્યૂ કલેક્ટર કમ્પાઉંડમાં% બુધવારે રાત્રે લગભગ સવા 11 વાગ્યે આ દુર્ઘટના થઈ. અગ્નિશમન વિભાગ અને અન્ય એજંસીઓના કર્મચારી તરત ઘટનાસ્થળ પર પહોંચ્યા અને બચાવ અને શોધ અભિયાન શરૂ કર્યુ. તેમણે જણાવ્યુ કે દુર્ઘટનામાં આઠ બાળકો અને ત્રણ વયસ્ક લોકોના મોત થઈ ગયા છે. 
 
ઘટના પછી ફાયરબ્રિગેડ અને BMCની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી રાહતકાર્ય શરૂ કરી દીધું હતું. ગીચ વસતિ હોવાને કારણે ઘટનાસ્થળે પહોંચવાનો રસ્તો ખૂબ સાંકળો છે. એવામાં રેસ્ક્યૂમાં મુશ્કેલી થઈ રહી છે. એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ અને JCBને ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલી થઈ હતી.
 
બીએમસીના અધિકારીએ જણાવ્યુ કે મરનારાઓમાં આઠ, નવ અને 13 વર્ષના ત્રણ બાળકોની ઓળખ થઈ ચુકી છે. આઠ અન્યની ઓળખ કરવામાં આવી રહી છે. ઘાયલ થયેલા અન્ય સાત લોકોમાંથી એકની હાલત ગંભીર છે. કાટમાળમાંથી કાઢેલા ઘાયલોને નિકટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકા અને અગ્નિશમન વિભાગના અધિકારીઓ મુજબ, કેટલાક અન્ય લોકો પણ કાટમાળમાં ફસાયેલા હોઈ શકે છે અને તેમની શોઘ ચાલુ છે. મકાન પાસે જ બની રહેલા માળનુ માળખુ પડી ગયુ હતુ, તેની પાસે બનેલી ત્રણ માળની બિલ્ડિંગ પણ હલી ગઈ. 
 
મુંબઈ અને એની આસપાસના વિસ્તારોમાં બુધવારે લગભગ સમગ્ર દિવસ દરમિયાન વરસાદ થયો હતો. એને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા. પશ્ચિમ ઉપનગર સાંતાક્રુઝમાં બુધવારે સવારે આઠ વાગ્યાથી બપોરના અઢી વાગ્યા સુધી, એટલે કે છ કલાકમાં 164.8 મિલીમીટર વરસાદ થયો છે. હવામાન વિભાગનું આજે પણ વરસાદનું રેડ અલર્ટ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Who is Atishi Marlena: કોણ છે આતિશી માર્લેના જેમણે અરવિંદ કેજરીવાલ પછી બનાવાયા દિલ્હીના મુખ્યમંત્રી, જાણો બધુ જ

Atishi- આતિશી હશે દિલ્હીના નવા મુખ્યમંત્રી, કેજરીવાલે નામનો પ્રસ્તાવ મૂક્યો

ફિરોઝાબાદ બ્લાસ્ટમાં 5ના મોત, 11ની હાલત ગંભીર; ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અકસ્માત થયો હતો

રાહતના સમાચાર: પેટ્રોલ 10 રૂપિયા સસ્તું થઈ શકે છે, સરકારે જણાવ્યું કે ઈંધણ ક્યારે મળશે

વિશ્વ દર્દી સુરક્ષા દિવસ કેમ ઉજવાય છે જાણો ઈતિહાસ અને મહત્વ

આગળનો લેખ
Show comments