Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસે સસ્પેન્સ જાળવ્યું પાંચ ઉમેદવારોએ ફોર્મ ભર્યા, ભાજપમાંથી બાવળિયાએ શુભ મુહૂર્તમાં ભર્યું ફોર્મ

Webdunia
શુક્રવાર, 30 નવેમ્બર 2018 (13:55 IST)
પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણ બેઠક પરથી કુંવરજી બાવળીયાએ ફોર્મ ભર્યુ છે. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, પુરષોત્તમ રૂપાલા અને ભરત બોઘરા હાજર રહ્યા હતા. બાવળીયાએ પક્ષ પલટો કરતા જસદણ વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. કુંવરજી બાવળીયાએ ફોર્મ ભરતા પહેલા જસદણમાં ભાજપના નેતાઓ સાથે મોટી રેલી કાઢી હતી. કુવરજી બાવળિયાએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસમાં હજુ નામ બાબતે ઠેકાણા પણ નથી.આ પહેલા ભાજપના નેતાઓએ સભા પણ સંબોધી હતી. જેમાં રાજકોટ સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાંથી ભાજપના કાર્યકરો ઉમટ્યા હતા. પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને બેકફૂટ પર ધકેલવા ભાજપે પણ રણનીતિ તૈયાર કરી છે. જસદણ બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક ગણવામાં આવે છે. ત્યારે જસદણ બેઠક પર જીત મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ એટી ચોટીનું જોર લગાવશે.મહારાષ્ટ્ર સરકારના નિર્ણય બાદ ગુજરાત સરકાર પાટીદારોના નિશાને રહી છે કેમકે,એક જ સવાલ પૂછાઇ રહ્યો છે કે, જો મહારાષ્ટ્ર સરકાર અનામતનો નિવેડો લાવી શકી તો ગુજરાતમાં ભાજપ સરકાર કેમ પાટીદારોને લોલીપોપ આપી રહી છે. આમ,પાટીદારો હવે આરપારની લડાઇ લડવાના મૂડમાં છે. ખુદ ભાજપના નેતાઓ જ કહી રહ્યાં છે કે,પાટીદારો ભાજપ વિરોધી મતદાન કરશે તો, કુંવરજી બાવળિયાને લીલાતોરણે ઘેર પરત ફરવુ પડશે. પાટીદારો ય ભાજપને જસદણની પેટાચૂંટણીમાં રાજકીય સબક શીખવાડવાની તૈયારીઓ કરી રહ્યાં છે. હાર્દિક પટેલ પણ ભાજપને ચૂંટણી મેદાને હરાવવા મેદાને પડયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments