Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં વેરો નહીં ભર્યો હોય તેવી મીલકતોને આજથી સીલ મારવાની ઝૂંબેશ હાથ ધરાશે

Webdunia
બુધવાર, 29 જાન્યુઆરી 2020 (15:07 IST)
રાજકોટ મહાપાલિકાનાં વેરા વિભાગ દ્વારા જે મિલકત ધારકોએ વેરો ન ભર્યો હોય તેવા કોમર્શિયલ અને રહેણાંક મિલકતોને સીલ કરવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવશે.  મહાપાલિકાના વેરા વિભાગ દ્વારા ગત શુક્રવારનાં રોજ  વેરો ન ભરી હોય તેવી 225 મિલકતો સીલ કરીને 1.75 કરોડનો વેરો વસુલ કરવામાં આવ્યો હતો. જે મિલકત ધારકોએ વેરો નથી ભર્યો તેવા મિલકત ધારકો પર તવાઈ બોલાવવા માટે મ્યુનિસિપલ કમિશનરે અલગ અલગ વિભાગ માંથી છટણી કરી 400 જેટલા કર્મચારીઓનો સ્ટાફ વેરા વિભાગ માટે ફાળવ્યો છે.  
મહાનગર પાલિકાનાં વેરા વિભાગના આંકડા પર નજર કરીએ તો અત્યાર સુધી રાજકોટ શહેરની 458000 તો પૈકી આ જ દિવસ સુધીમાં 254000 મિલકત ધારકોએ પોતાનો મિલકત વેરો ભર્યો છે. જેના કારણે મહાનગરપાલિકાને વેરા પેટે 154 કરોડની આવક થવા પામી છે પરંતુ મહાનગરપાલિકાએ ચાલુ વર્ષે 260 કરોડનો લક્ષ્યાંક રાખ્યો છે ત્યારે મહાનગરપાલિકાના લક્ષ્યાંકમાં હજુ 106 કરોડનું છેટુ છે. 
ત્યારે આજથી મહાનગરપાલિકા ઔદ્યોગિક એકમોમાં આવેલી મિલકતો સીલ કરશે કે જેનું એક લાખ રૂપિયા કરતાં વધારેનો વેરો બાકી હોય. મહાનગરપાલિકાએ આ માટે આ તમામ મિલકતોને નોટિસની બજવણી પણ કરી છે. ત્યારે આજથી એક લાખથી વધુ વેરો બાકી હોય તેવી ચાર હજારથી પણ વધુ મિલકતો સીલ કરવાની ઝુંબેશ હાથ ધરાશે. 
મહાનગર પાલિકાનાં વેરા વિભાગના જણાવ્યા પ્રમાણે, ગત વર્ષે જે પણ મિલકત ધારકોએ વેરો ન ભર્યો હોય અને જેમની મિલકત સીલ કરવામાં આવી હોય તેવી તમામ મિલકતોની આગામી દિવસોમાં જાહેર હરાજી કરવામાં આવશે. તેમજ આ વખતે પણ ગત વખતની જેમ જે પણ મિલકત ધારકો પોતાની મિલકતનો વેરો નહીં ભરે તેમની મિલકતો મહાનગરપાલિકાના નિયમ મુજબ સીલ કરવામાં આવશે તેમજ આગામી દિવસોમાં નિયમ પ્રમાણે તેની પણ હરાજી કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments