Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિસનગર રમખાણ કેસ - હાર્દિક પટેલને 2 વર્ષની સજા, ઋષિકેશ પટેલની ઓફિસમાં કરી હતી તોડફોડ

Webdunia
બુધવાર, 25 જુલાઈ 2018 (12:22 IST)
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને રમખાણો કરાવવા મામલે કોર્ટે દોષી સાબિત કર્યા છે. તેમને આ મામલે 2 વર્ષની સજા સંભળાવી છે.  ઉલ્લેખનીય છે કે હાર્દિકે પાટીદારો માટે અનામતની માંગ કરી હતી. આ દરમિયાન મહેસાણામાં હિંસા ભડકી હતી. 
 
પાટીદાર અનામત આંદોલન દરમિયાન મહેસાણાના વિસનગરના ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડના કેસમાં વિસનગર સેશન્સ કોર્ટ હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિત ત્રણને દોષિત ઠેરવ્યા છે. આ કેસમાં કોર્ટે 14 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
 
અદાલતે હાર્દિક પટેલને 2, લાલજી પટેલને 2 અને એકે પટેલ એમ ત્રણેયને 2-2 વર્ષની સજા ફટકારી છે.  ઉલ્લેખનીય છે કે 23 જુલાઈ 2015નો રોજ પાટીદાર અનામત રેલીમાં યોજાઈ હતી. આ રેલી દરમિયાન ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ, કેમેરા તોડવા અને મોબાઈલ લૂંટવાની ફરિયાદ મામલે નોંધાઈ હતી.  આ કેસમાં કુલ 17 આરોપીઓ હતા. આ આરોપીઓમાં પાસના હાર્દિક પટેલ અને સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના લાલજી પટેલનો સમાવેશ થતો હતો. ત્રણેયને 147.148.149 427 અને 435 નીચે દોષિત આપવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જ્યારે લોકો કહેશે કે તેઓ ઈમાનદાર છે ત્યારે જ બનીશ હુ મુખ્યમંત્રી - અરવિંદ કેજરીવાલ

યુપીમાં કલમ 163 લાગુ! 15 સપ્ટેમ્બરથી 13 નવેમ્બર સુધી આ વસ્તુઓ પર પ્રતિબંધ રહેશે

દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર, 2 લોકોના મોત, 260 મેલેરિયા અને 32 ચિકનગુનિયાના કેસ નોંધાયા

PM નરેન્દ્ર મોદીએ ઈદ મિલાદ-ઉન-નબીના અવસર પર શું કર્યું ટ્વિટ? વાંચો

સુરતમાં હિંસા બાદ ઈદ-એ-મિલાદ અને ગણેશ વિસર્જનને લઈને પોલીસ હાઈ એલર્ટ પર, મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત

આગળનો લેખ
Show comments