Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં હાર્દિકની સભાને મંજૂરી નહીં આપતાં પાટીદારોનો પોલીસ પર પથ્થરમારો

Webdunia
સોમવાર, 20 માર્ચ 2017 (14:02 IST)
અનામત મંથન માટે વરાછાના યોગીચોક ખાતે યોજવામાં આવેલી હાર્દિક પટેલની મહાસભાને પોલીસે મંજૂરી નહીં આપતા ગિન્નાયેલા પાટીદારોએ રવિવારે સાંજે પોલીસ ઉપર પથ્થરમારો કર્યા હતો. પેટ્રોલિંગમાં નીકળેલા પોલીસ સ્ટાફ પર યોગીચોક પાસે પથ્થરમારો કરી પાટીદારોનાં ટોળાંએ ભારે હંગામો મચાવ્યો હતો. દરમિયાન પાટીદારોનાં ટોળાંને વિખેરવા પોલીસે પણ બળપ્રયોગ કર્યાે હોવાનું જાણવા મળ્યું છે. તેમજ પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

જોકે, બનાવને પગલે યોગીચોક વિસ્તારની દુકાનો ટપોટપ બંધ કરી દેવામાં આવી હતી. પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા રવિવારના રોજ વરાછા યોગીચોક ખાતે અનામત મંથન મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઇને પોલીસે પાટીદારોની મહાસભાને મંજૂરી આપવા ઇન્કાર કરી દીધો હતો. પોલીસે અનામત મંથનની મહાસભાને પરવાનગી નહીં આપતા પાટીદારોમાં રોષ જોવા મળી રહ્યો હતો. દરમિયાન મહાસભા રદ થઇ હોવા છતાં રવિવારે સાંજે યોગીચોક સ્થિત સભાના સ્થળ પાસે પાટીદારોનાં ટોળેટોળાં ઊમટી પડયાં હતા.  પોલીસે બળપ્રયોગ કરતા નાસભાગ મચી જવા પામી હતી. બનાવને પગલે આખા વિસ્તારમાં તનાવની પરિસ્થિતિ ઊભી થઇ ગઇ હતી. આ ઉપરાંત યોગીચોક ખાતે હંગામો થતાં આ વિસ્તારની આસપાસના દુકાનદારોએ ટપોટપ દુકાન બંધ કરીને ચાલ્યા હતા. તેમજ પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસે યોગીચોક વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પાસ દ્વારા પોલીસ પાસે મંજૂરી મેળવવાની કવાયત પણ હાથ ધરી હતી. હાલમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે તેમજ સભાનું જે સ્થળ પસંદ કરવામાં આવ્યું છે તે સોસાયટી વિસ્તારમાં હોવાથી સભાને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ પડે તેમ હોવાથી સભા માટે પાસ દ્વારા માંગવામાં આવેલી પરવાનગી પોલીસે નામંજૂર કરી દીધી હતી.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments