Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં વિઘ્નહર્તાના વિસર્જનમાં પાટીદારોની ભાજપ વિરૂદ્ધ નારેબાજી

Webdunia
બુધવાર, 6 સપ્ટેમ્બર 2017 (16:02 IST)
હાર્દિક પટેલને જેલમાંથી મુક્ત કરાવવા પાટીદારો રસ્તે ઉતરી પડ્યાં છે અને ભાજપ વિરૂદ્ધ આકરા નારાઓ લગાવી રહ્યાં છે. થોડા સમય પહેલાં જ સુરતમાં હાર્દિકને જેલમાં લઈ જવાયો તેના વિરોધમા રેલી નિકળી હતી અને હવે મોટી સંખ્યામાં પાટીદારોએ ભેગા થઈને વિધ્નહર્તા રેલી કાઢી છે. આજે સુરતમાં હજારોની સંખ્યામાં પાટીદારો ગણેશ વિસર્જનમાં ઉમટી પડ્યા હતા અને હાર્દિકને મુક્ત કરવાની માંગ કરી હતી. પાટીદારો સફેદ ટોપી સાથે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.


કેટલાક લોકોએ તો હાર્દિકના મોહરા પણ પહેર્યા હતા. સાથે મોટાભાગના પાટીદારોએ ભાજપ અને 'વિજય રૂપાણીની હાય હાય'ના નારા લગાવ્યાં હતાં.જેલમાં બંધ હાર્દિક પટેલના સમર્થનમાં નીકળેલા પાટીદારોએ ગણેશ વિસર્જન યાત્રામાં સફેદ ટોપી પહેરીને નારેબાજી કરી હતી. 'હાર્દિક હાર્દિક'ના નારા લગાવ્યાં હતાં. અને પાટીદારોએ ફરી એકતાનો પરિચય કરાવ્યો હતો. તો ભાજપ અને વિજય રૂપાણી વિરુધ્ધ નારાજગી દર્શાવતાં યુવકોએ 'હાય હાય'ના નારા લગાવી અનામતની માંગ ફરી એકવાર બુલંદ કરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments