Festival Posters

ઝૂકીશ તો તમારી સામે ઝૂકીશ પણ સરકાર સામે નહી: હાર્દિક પટેલ

Webdunia
બુધવાર, 12 સપ્ટેમ્બર 2018 (16:23 IST)
પાટીદાર સમાજને અનામત અને ખેડૂતોના દેવા માફી માટે ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલ આજે 19 દિવસે પાટીદાર સમાજની મુખ્ય સંસ્થાઓ આગેવાનોની હાજરીમાં પાણી પીને પારણ કર્યા હતા. પાટીદારોને અનામત આપો, ખેડૂતોની દેવા માફી અને અલ્પેશ કથેરિયાની જેલમુક્તિના માટે ઉપવાસ બેઠ્યો છું. છેલ્લા બે માસથી મંજૂરી માગવા છતાં મંજૂરી ન મળી આખરે ઘરે જ ઉપવાસ પર બેસવું પડ્યું. સમાજની મુખ્ય 6 સંસ્થાઓ તથા વડીલોએ અપીલ કરી હતી. સમાજમાં નાના મોટાની ખાણ ઉભી થઇ હતી તે દૂર થઇ છે. આપણે આપણી લડાઇ માટે સંપૂર્ણૅ ન્યોછાવર થઇ ગયા હતા. સમાજના વડીલો પાસે આશાઓ બંધાયેલી છે. ગામડાની મહિલાઓ પાસે 1-2 વીઘા જમીન બચી છે. તેમની માટે અમારી આ લડાઇ છે.
સમાજના વડીલો પાસે અમે ક્યારેય રાખી નથી કે તમે આમ કરો, અમે ક્યારેય એમ નથી કહેતા કે અમે તેમના વિરોધી છીએ. અમને માન અને સન્માન આપ્યું છે. અધિકાર વિના આ દુનિયામાં જીવવું મુશ્કેલ છે. બોલશો તો દેશદ્રોહી કહેશે અને નહી બોલો લોકો કહેશે કે આ મૂંગો છે. હું ઘોડો નથી કે થાકી જઇશ. સમાજના વડીલો મને પાણી પીવડાવ્યું છે. સમાજના વડીલો આગેવાનો પ્રત્યે ક્યારેય નારાજગી નથી. જો સરકાર નહી માને એમ સમજીશું કે હવે સરકારને આ સમાજની જરૂર નથી. કણબીનો છોરૂ છું એટલે કડવી વાતો લાગશે. સમાજનું ઉત્થાન અને નિર્માણ થશે તો ગુજરાતનું નવનિર્માણ થશે. 
આપણે કોઇની સામે લાચાર થયા છીએ તે નક્કી છે. આપણે ક્યાં સુધી લાચારી સહન કરીશું. હું જેલમાં પણ ગયો છું બદનામી પણ સહન કરી છે પણ ઝૂકીશ નહી. હું માતાના ચરણોમાં ઝૂકીશ, વડીલોના ચરણોમાં ઝૂકીશ, પણ અમુક લોકો સમક્ષ ઝૂકીશ નહી. હું જેલમાં હતો ત્યારે સમાજના આગેવાનો કહેતા કે કાલે જામીન મળી જશે પરંતુ નવ મહિલા જેલમાં રહ્યો. આ પારણા માત્ર તમારા માન-સન્માન માટેના જ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વેલેન્ટાઇન ડે સ્પેશિયલ રેસીપી Heart Shape Pancake

World Radio Day: વિશ્વના પ્રથમ રેડિયોની કિંમત કેટલી હતી? કઈ કંપનીએ વાણિજ્યિક રેડિયો ઉત્પાદન શરૂ કર્યું?

Valentine Day Gift: વેલેન્ટાઇન ડે પર તમારા બોયફ્રેન્ડને આપવા માટે આ 7 ભેટો best છે.

Kiss Day Wishes in Gujarati - 'કિસ ડે' ની શુભેચ્છા

વધુ જુઓ..

નવીનતમ

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

ઉદિત નારાયણ પર લાગ્યો બળજબરીથી ગર્ભાશય કાઢવાનો આરોપ, પહેલી પત્નીએ કર્યો ખુલાસો, ફરિયાદ નોંધાઈ

આગળનો લેખ
Show comments