Webdunia - Bharat's app for daily news and videos

Install App

Navratri 2022: આ નવરાત્રીમાં કરો આ કામ, મા દુર્ગા થઈ જશે પ્રસન્ન

Webdunia
બુધવાર, 21 સપ્ટેમ્બર 2022 (17:21 IST)
Do These Things In Navratri:  હિન્દુ ધર્મમાં નવરાત્રી પર્વનુ વિશેષ મહત્વ છે.  આ તહેવારને દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. આ ખાસ દિવસોમાં મા દુર્ગાના જુદ જુદા રૂપોની પૂજા કરવામાં આવે છે. મંદિરોમાં માતાનો શૃંગાર કરવામાં આવે છે. મા દુર્ગાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે.  આ સાથે કળશની સ્થાપના પણ કરવામાં આવે છે. શાસ્ત્રોના જાણકારો જણાવે છે કે જે પણ આ દિવસોમાં માતાની પૂજા કરે છે તેમના પર માતાની કૃપા રહે છે. આ દરમિયાન માતાની પૂજા સાથે જોડાયેલા કેટલાક નિયમોને સમજવા જોઈએ.
 
નવરાત્રી પર  કરો વ્રત અને ઉપવાસ 
 
કહેવાય છે કે મન પવન કરતાં પણ વધુ ચંચળ હોય છે, મનની એકાગ્રતા માટે નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરવો જોઈએ. તેનાથી મન શુદ્ધ થાય છે અને મનમાં હંમેશા સારા વિચારો આવે છે.
 
નવ દિવસ કરો માતાનો શ્રૃંગાર 
 
હિન્દુ શાસ્ત્રોમાં કહેવાયું છે કે નવરાત્રીના આ ખાસ દિવસોમાં માતા દુર્ગા સ્વર્ગમાંથી પૃથ્વી પર આવે છે. આ ખાસ દિવસોમાં ભક્તો માતાની વિવિધ સ્વરૂપોમાં પૂજા કરે છે. તમારે યાદ રાખવાનું છે કે પૂજાના આ દિવસોમાં માતાનો વિશેષ શ્રૃંગાર કરવાનો હોય છે અને પૂજા સામગ્રી અર્પણ કરવાની હોય છે.
 
રોજ કરો મંદિરના દર્શન 
 
આ નવ દિવસોમાં તમારે દરરોજ મંદિરમાં જવું જોઈએ. તેનાથી માતાની કૃપા તમારા પર બની રહેશે અને પરિવારનું કલ્યાણ થશે. આ દિવસોમાં મા દુર્ગાની પૂજા કરવાથી જલ્દી પ્રસન્ન થાય છે. યાદ રાખો, માતાની પૂજા દરમિયાન, તેમને ચોક્કસપણે પાણી અર્પણ કરો.
 
નવરાત્રી પર પ્રગટાવો અખંડ જ્યોત 
 
કળશની સ્થાપના સાથે, તમે અખંડ જ્યોતને નવ દિવસ સુધી પ્રગટાવવી જોઈએ. કોશિશ કરો કે દીવો શુદ્ધ ગાયના ઘીનો હોવો જોઈએ અને તે માતાની મૂર્તિ પાસે હોવો જોઈએ.
 
કન્યા પૂજાથી થશે લાભ 
 
નવરાત્રિના આઠમા દિવસે એટલે કે અષ્ટમીના દિવસે પૂજાનું વિશેષ મહત્વ છે. અષ્ટમી અને નવમીના દિવસે કન્યાઓનું પૂજન કરીને તેમની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ નવ વર્ષની બાળકીઓમાં માતાનો વાસ હોય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

હાડકા અને મસલ્સને મજબૂત બનાવશે આ 5 સીડ્સ, 30 પછી જરૂર ડાયેટમાં કરો સામેલ

વધુ જુઓ..

નવીનતમ

Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

આગળનો લેખ
Show comments