Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વરુણ ગાંધીને ટિકિટ ન મળવા પર શું બોલ્યાં મેનકા ગાંધી?

વરુણ ગાંધીને ટિકિટ ન મળવા પર શું બોલ્યાં મેનકા ગાંધી?
, મંગળવાર, 2 એપ્રિલ 2024 (14:34 IST)
ભાજપનાં વરિષ્ઠ નેતા અને યુપીના સુલ્તાનપુરનાં સાંસદ મેનકા ગાંધીએ પીલીભીતથી તેમના પુત્ર વરુણ ગાંધીને ટિકિટ ન આપવા સામે પોતાની પ્રતિક્રિયા આપી છે.
 
ઉત્તર પ્રદેશમાં સુલ્તાનપુરમાં પોતાની દસ દિવસની યાત્રા દરમિયાન મેનકા ગાંધીએ કહ્યું કે તેઓ ભાજપમાં રહીને ખુશ છે.
 
મેનકા ગાંધીએ કહ્યું, “ભાજપમાં છું એટલે ખુશ છું. હું અમિત શાહ, પીએમ મોદી તથા નડ્ડાજીનો ટિકિટ આપવા બદલ આભાર પ્રકટ કરું છું. ટિકિટનું એલાન મોડું થયું તેથી દુવિધા હતી કે હું ક્યાંથી લડીશ, પીલીભીતથી કે સુલ્તાનપુરથી? પણ પાર્ટીએ જે નિર્ણય લીધો તેનાથી હું ખુશ છું.”
 
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે વરુણ ગાંધીને ટિકિટ નથી આપવામાં આવી ત્યારે તેઓ શું કરશે? તો તેના જવાબમાં મેનકા ગાંધીએ કહ્યું, “આ સવાલ તમે તેમને જ પૂછો કે તેઓ શું કરશે? અમે ચૂંટણી બાદ તેના પર વિચાર કરીશું. અત્યારે સમય નથી.”
 
તેમણે કહ્યું કે તેઓ સુલ્તાનપુર આવવાથી ખુશ છે કારણ કે કોઈ પણ સાંસદે અહીં બીજીવાર ચૂંટણી નથી જીતી.
 
ટિકિટ મળ્યા બાદ તેઓ સુલ્તાનપુર પહેલીવાર આવ્યાં હતાં. તેઓ પોતાની દસ દિવસની યાત્રા દરમિયાન પોતાના લોકસભા વિસ્તારમાં 101 ગામોની મુલાકાત લેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

2011 World Cup: આજ ના દિવસે જ 28 વર્ષનુ સપનુ થયુ હતુ પુરુ, ભારત બન્યુ હતુ વર્લ્ડ ચેમ્પિયન