Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોડી રાતે થયો વિવાદ અને પછી… વાંચો વૈષ્ણોદેવી મંદિરમાં ભાગદોડ સાથે જોડાયેલી 10 મોટી વાતો

Webdunia
શનિવાર, 1 જાન્યુઆરી 2022 (15:46 IST)
જમ્મુ કાશ્મીરમાં માતા વૈષ્ણો દેવી મંદિરમાં  શનિવારે વહેલી સવારે ભાગદોડમાં ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. નવા વર્ષ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે નાસભાગ ત્રણ નંબરના ગેટ પાસે ગર્ભગૃહની બહાર થઈ હતી. ઘટના બાદ ઘાયલોને માતા વૈષ્ણોદેવી નારાયણ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
 
જમ્મુ અને કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહે શનિવારે જણાવ્યું હતું કે વૈષ્ણો દેવી મંદિર વિસ્તારમાં કેટલાક યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી કારણે ભાગદોડ મચી ગઈ હતી, જેમાં કમનસીબે 12 લોકોના મોત થયા હતા. સિંહે કહ્યું કે આ ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હતી અને પોલીસ અને અન્ય અધિકારીઓ દ્વારા સમયસર પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી.
 
માતા વૈષ્ણો દેવી નારાયણ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલના ડૉક્ટર જેપી સિંહે જણાવ્યું કે આ ઘટનામાં 15 ઘાયલોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. જેમાંથી 4 લોકો ICUમાં દાખલ છે. જ્યારે 11 લોકોની હાલત હાલ સ્થિર છે. જેમાંથી 3-4ને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે. હાલ 5 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. અકસ્માત અંગે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે ઘટના પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે અને તેમને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. માતા વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગ સાથે જોડાયેલી 10 મોટી બાબતો પર નજર કરીએ
 
1. મોડી રાત્રે માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા પહોંચેલા ભક્તો વચ્ચે બોલાચાલી થઈ હતી, જેણે પછીથી જીવલેણ અકસ્માતનું રૂપ લીધું હતું. આ ચર્ચાએ બાદમાં મારામારીનું સ્વરૂપ લીધું અને સ્થિતિ બગડવા લાગી.
 
2. અકસ્માતમાં અત્યાર સુધી મળેલી માહિતી મુજબ 12 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘાયલોને માતા વૈષ્ણોદેવી નારાયણ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં હજુ પણ ઘણા લોકોની સારવાર ચાલી રહી છે.
 
3. અકસ્માતની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ત્રણ સભ્યોની કમિટી મામલાની તપાસ કરશે. આ સમિતિમાં ગૃહ મંત્રાલયના મુખ્ય સચિવ, જમ્મુના ADGP અને ડિવિઝનલ કમિશનરનો સમાવેશ કરવામાં આવશે.
 
4. અધિકારીઓએ શનિવારે કહ્યું કે બપોરે 2.45 વાગ્યે અચાનક નાસભાગ મચી ગઈ. આ ઘટના ત્રિકુટા પર્વત પર સ્થિત મંદિરના ગર્ભગૃહની બહાર ગેટ નંબર ત્રણ પાસે બની હતી. અધિકારીઓએ જણાવ્યું કે નવા વર્ષ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો માતાના દર્શન કરવા આવ્યા હતા. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
 
5. આ દર્દનાક ઘટના પર પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે કહ્યું, 'હું આ ઘટનાથી ખૂબ જ દુઃખી છું. પીડિત પરિવારો પ્રત્યે મારી સંવેદના. ઘાયલો જલ્દી સાજા થાય.'' તેમણે કહ્યું કે મેં જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિન્હા, ઉધમપુરના સાંસદ ડૉ. જિતેન્દ્ર સિંહ અને કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય સાથે વાત કરી છે અને સ્થિતિ વિશે જાણકારી મેળવી છે.
 
6. નાસભાગ પછી, લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસ અને શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે પીડિતોના પરિવારો માટે હેલ્પલાઈન નંબર જારી કર્યા છે. એલજી ઓફિસે શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડના બે હેલ્પલાઈન નંબર શેર કર્યા છે, જે 01991-234804 અને 01991-234053 છે.7. આ અકસ્માતમાં મૃતકો માટે 12 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાના કાર્યાલયે ટ્વિટ કર્યું, "નાસભાગમાં માર્યા ગયેલા લોકોના નજીકના પરિવારને 10 લાખ રૂપિયા અને ઘાયલોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે." તે 'પરિવાર નાસભાગમાં જીવ ગુમાવનાર પ્રત્યેક વ્યક્તિને PMNRF તરફથી રૂ. 2 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે.'
 
8. જમ્મુ અને કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહે શનિવારે જણાવ્યું હતું કે કેટલાક યુવાનો વચ્ચે નજીવી ઝપાઝપીને કારણે વૈષ્ણો દેવી મંદિર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં 12 લોકો કમનસીબે મૃત્યુ પામ્યા હતા.
 
9. માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે કહ્યું કે તે ઘાયલોની સારવારનો ખર્ચ ઉઠાવશે.
 
10. નાસભાગની ઘટના પછી તરત જ મુસાફરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં સ્થિતિ સામાન્ય થતાં વહીવટીતંત્રે વૈષ્ણો દેવી મંદિરની યાત્રા શરૂ કરી હતી. છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

હાડકા અને મસલ્સને મજબૂત બનાવશે આ 5 સીડ્સ, 30 પછી જરૂર ડાયેટમાં કરો સામેલ

Vrushabh Rashi name gujarati- વૃષભ રાશિ પરથી નામ

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments