Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉજ્જૈનઃ મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન દુર્ઘટના, આગમાં 14 લોકો દઝાયા

Webdunia
સોમવાર, 25 માર્ચ 2024 (09:44 IST)
ઉજ્જૈનઃ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન એક મોટી દુર્ઘટના ઘટી છે. ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન થયેલા આ અકસ્માતમાં એક ડઝન લોકો દાઝી ગયા હતા. ખરેખર, હોળીના તહેવારને કારણે મંદિરમાં ગુલાલ ઉડાવવામાં આવી રહ્યો હતો, જેના કારણે આગ ફેલાઈ ગઈ હતી. આ આગના કારણે એક ડઝનથી વધુ પૂજારી અને સેવકો દાઝી ગયા હતા. આ તમામની ઉજ્જૈનની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

<

#WATCH | Ujjain, Madhya Pradesh | 13 people injured in a fire that broke out in the 'garbhagriha' of Mahakal Temple during bhasma aarti today. Holi celebrations were underway here when the incident occurred. The injured have been admitted to District Hospital.

(Earlier visuals… pic.twitter.com/cIUSlRirwo

— ANI (@ANI) March 25, 2024 >
 
ઘાયલ સેવકે જણાવ્યું કે પાછળથી આરતી કરી રહેલા પૂજારી સંજીવ પર કોઈએ ગુલાલ ઉડાવ્યો હતો. ગુલાલ દીવા પર પડ્યો. ગુલાલમાં કોઈ કેમિકલ હોવાના કારણે આગ લાગી હોવાનો અંદાજ છે.
 
સીએમ મોહનનાં પુત્ર અને પુત્રી પણ  હતા હાજર
ઉલ્લેખનિય છે કે આ અકસ્માતમાં સીએમ મોહન યાદવના પુત્ર અને પુત્રીનો આબાદ બચાવ થયો હતો. તે ઘટના સ્થળેથી થોડે દૂર હતા.  આ અકસ્માતમાં મહાકાલ મંદિરમાં ભસ્મરતીના મુખ્ય પૂજારી સંજય ગુરુ, વિકાસ પૂજારી, મનોજ પૂજારી, અંશ પુરોહિત, સેવક મહેશ શર્મા, ચિંતામન ગેહલોત સહિત અનેક લોકો ઘાયલ થયા છે.
 
પૂજારી આશિષ શર્માએ કહ્યું, 'મહાકાલ મંદિરમાં પરંપરાગત હોળીની ઉજવણી કરવામાં આવી રહી હતી. ગુલાલને કારણે ગર્ભગૃહમાં આગ ફેલાઈ ગઈ હતી. મંદિરના પૂજારી ઘાયલ થયા હતા. અમે તેને હોસ્પિટલ લઈ ગયા
 
મહાકાલેશ્વર જ્યોતિર્લિંગમાં રોજ થાય છે ભસ્મ આરતી 
ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંથી એક ઉજ્જૈનમાં આવેલા મહાકલેશ્વર જ્યોતિર્લિંગમાં રોજ ભસ્મની આરતી થાય છે. ભસ્મથી શિવલિંગ પર શ્રુંગાર કરવામાં આવે છે.  શિવજીને ભસ્મ ઘણી પ્રિય છે. તે ભગવાનનો મુખ્ય શણગાર છે. દરેક દેવી-દેવતાઓ શણગાર માટે સોના-ચાંદી અને હીરા-મોતીના આભૂષણ ધારણ કરે છે, પરતું શિવજીનું સ્વરૂપ સૌથી નિરાળું છે. મહાદેવ ભસ્મ અને નાગ ધારણ કરે છે. મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતીની પરંપરા ઘણા વર્ષોથી ચાલતી આવી છે, તેની પાછળ ઘણી માન્યતાઓ પ્રચલિત છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments