Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેગાસસ મુદ્દે સંસદમાં હંગામો, ટીએમસીના 6 સાંસદ સસ્પેંડ

Webdunia
બુધવાર, 4 ઑગસ્ટ 2021 (17:03 IST)
પેગાસસ જાસૂસીના મામલાને લઈને વિપક્ષ  સતત મોદી સરકાર પર આક્ષેપ કરી રહ્યો છે. તેથી, આ સત્ર દરમિયાન સદનમાં ભારે હંગામો  જોવા મળી રહ્યો છે. આ  દરમિયાન, રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુએ બુધવારે ગૃહમાંથી તૃણમૂલ કોંગ્રેસના છ સભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા, જેઓ પેગાસસ જાસૂસી મુદ્દાને લઈને આસન સમક્ષ બેનરો લઈને હંગામો કરી રહ્યા હતા. 
 
આજે સવારે જ્યારે સભાપતિએ  ખેડૂતોના મુદ્દા પર ચર્ચા માટે આપવામાં આવેલી નોટિસની સ્વીકૃતિ કરવા અને અન્ય નોટિસ રદ્દ કરવાની સૂચના આપી તો ટીએમસી અને અન્ય વિપક્ષી દળના સભ્ય વેલમા આવીને જમા થઈ  ગયા અને પેગાસસ જાસૂસી મુદ્દા પર ચર્ચાની માંગને લઈને હંગામો કરવા લાગ્યા. 
 
સંસદની કાર્યવાહી દરમિયાન આ સાંસદોએ પ્લેકાર્ડ્સ દર્શાવ્યા હતા અને પેગાસસ જાસૂસી પર ચર્ચા કરવાની માગ સાથે હોબાળો કાર્યો હતો. સ્પીકર વેંકૈયા નાયડુએ તેમને ફરી પોતાની જગ્યા પર જવા સૂચવ્યું હતું, પરંતુ આ સાંસદોએ વિરોધ પ્રદર્શન ચાલુ જ રાખ્યું હતું. ત્યાર બાદ સ્પીકરે તેમની વિરુદ્ધ આ કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.
 
ઉલ્લેખનીય છે કે સ્પીકરે સદનના નિયમ 255 હેઠળ આ કાર્યવાહી કરી છે. જોકે, સદનની કાર્યવાહી સ્થગિત થયા બાદ ટીએમસીના સાંસદ ડેરેક ઓબ્રાયને ટવીટ કરીને કહ્યું હતું કે હવે વિપક્ષ મોદી-શાહની તાનાશાહી વિરુદ્ધ એકજુટતા બતાવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments