Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં હુમલાખોરોને તાત્કાલિક ઝડપી કડક સજા ન કરે તો તમામ યુનિયનોની આંદોલનની ચીમકી

Webdunia
શુક્રવાર, 3 જાન્યુઆરી 2020 (12:24 IST)
સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોનનો દબાણ માટે કુખ્યાત ચૌટા બજારમાં ગઈકાલે મહાનગરપાલિકાના ડેપ્યુટી ઇજનેર અને સિક્યુરીટી સ્ટાફ પર હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ મહાનગરપાલિકામાં મળેલી બેઠકમાં હુમલા માટે હુમલાખોરો ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર પણ જવાબદાર હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. હુમલાખોરોને ઝડપીને કડક કામગીરી કરવામાં નહિ આવે તો તમામ યુનિયનોએ ભેગા મળીને આંદોલનની ચીમકી પણ આપી છે. ગઈકાલના મહાનગરપાલિકાના કર્મચારીઓ પર હુમલા બાદ મોડી રાત્રે તમામ યુનિયનોની એક બેઠક મળી હતી. જેમાં એક યુનિયનના આગેવાને કર્મચારી પર હુમલા માટે હુમલાખોરો ઉપરાંત મ્યુનિસિપલ કમિશનરની નીતિ પણ જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે પોલીસ પ્રોટકશન વિના કર્મચારીઓ પાસે દબાણ દૂર કરવાનું કામ કરાવવુ યોગ્ય નથી. મહાનગર પાલિકા કમિશનરની આવી નીતિને કારણે જ કર્મચારી પર હુમલો થયો છે તેથી તેઓ પણ જવાબદાર છે. આ હુમલા બાદ તમામ યુનિયનોએ આજે સાંજે પાંચ વાગે મુગ્લી સરાઈ સ્થિત મ્યુનિસિપલ કચેરીએ દેખાવ કરવાની જાહેરાત કરી છે. તમામ યુનિયન ભેગા થઈને હુમલાના વિરોધમાં પ્રદર્શન કરશે. યુનિયનના આગેવાનોએ ચીમકી આપી છે કે હવે પછી પોલીસ પ્રોટેક્શન વિના દબાણો દૂર કરવાની કામગીરી સોંપવામાં આવે તો તેનો બહિષ્કાર કરવામાં આવશે. આ ઉપરાંત ટેકનિકલ સ્ટાફને પણ દબાણ દૂર કરવાની કામગીરી સાથે જોડવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. યુનિયન આગેવાનોએ પોલીસને રજૂઆત કરતાં કહ્યું છે કે મહાનગર પાલિકાના સ્ટાફ પર હુમલો કરનારા માથાભારે તત્વોને તાત્કાલિક ઝડપી લેવામાં આવે અને તેની સામે આક્રમક કાર્યવાહી કરવામાં આવે. જો આ પ્રકારની તેમની માગણી પૂરી ન કરવામાં આવે તો કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવશે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments