Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુંબઈની લોકલ ટ્રેનોમાં વહેલી તકે ઑટોમેટિક બંધ થતા દરવાજા નહીં બેસાડાય તો ભૂખ હડતાલ

Webdunia
મંગળવાર, 14 ઑગસ્ટ 2018 (17:17 IST)
મુંબઈની લાઇફલાઇન નરભક્ષી લોકલ ટ્રેનોમાંથી પડી હજારો પ્રવાસી દર મહિને પડી અપંગ બને છે તો સેકડો મૃત્યુ પામે છે. એટલા માટે બોરિવલી(વેસ્ટ)સ્થિત સામાજિક સંસ્થા ગાંધી વિચાર મંચના અધ્યક્ષ શ્રી મનમોહન ગુપ્તા છેલ્લા 25 વરસથીમાગણી કરી રહ્યા છે કે મુંબઈની લોકલ ટ્રેનમાં ઑટોમેટિક બંધથતાં દરવાજા બેસાડવામાં આવે. પરંતુ સરકાર અને રેલવે પ્રશાસન આ અંગે કોઈ ખાસ ધ્યાન આપતું નથી. જો આ અંગે વહેલી તકે કાર્યવાહી નહીં થઈ તોસામાજિક સંસ્થા ગાંધી વિચાર મંચના અધ્યક્ષ શ્રી મનમોહન ગુપ્તા ભૂખ હડતાલ પર ઉતરશે અને સરકાર તથા રેલવે વિરૂદ્ધ મોરચો કાઢશે. ગાંધી વિચાર મંચનાઅધ્યક્ષ શ્રી મનમોહન ગુપ્તાએ જણાવ્યું કેમુંબઈની નરભક્ષી લોકલ ટ્રેનોને કારણે લોકો અપંગ બની રહ્યા છે અને મરી રહ્યા છેજેને કારણે તેમનો પરિવારપાયમાલ થાય છે. મહિનામાં સેકડો અપંગ બનાવનારી મુંબઈની લોકલ ટ્રેનોમાં ઑટોમેટિક બંધ થતા દરવાજા લગાડવામાં આવે. અમારી સંસ્થાના માધ્યમથીસરકાર અને રેલવે સમક્ષ માગણી કરૂ છું કેવહેલી તકે આ અંગે કાર્યવાહી કરે અને હજારો પરિવારને દર મહિને બરબાદ થતા બચાવે. જો વહેલી તકે આ અંગેકાર્યવાહી નહીં થઈ તો અમારી સંસ્થા જનતાની અદાલતમાં જશે અને સરકાર તથા રેલવે વિરૂદ્ધ ભૂખ હડતાલ કરશે અને મોરચો કાઢશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

આગળનો લેખ
Show comments